એપશહેર

અદાણી જૂથના કૂદકે ને ભુસકે વધતા શેરોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ કેમ રોકાણ નથી કરતા?

Adani Group Stocks: અદાણી જૂથના શેરોમાં છેલ્લા અઢી વર્ષમાં ભારે તેજી આવી છે પરંતુ કરોડ રૂપિયાની મૂડીનું સંચાલન કરતા મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણીના સ્ટોકમાં ખરીદી કરવાનું ટાળ્યું છે. ફંડ હાઉસિસે અદાણી ગ્રૂપની કંપનીઓ Adani Enterprises અને Adani Portsમાં રોકાણ કર્યું છે જ્યારે બાકીની કંપનીઓમાં રોકાણ ટાળ્યું છે. આમ થવા પાછળના કારણો જાણવા જરૂરી છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 27 Sep 2022, 12:03 pm

હાઈલાઈટ્સ:

  • અદાણીના શેરનું વેલ્યુએશન અગાઉ પણ વધારે હતું અને અત્યારે પણ ઉંચું છે.
  • આ શેરોના ભાવ ઘટે તો તેમાં એન્ટ્રી કરી શકાય તેમ એક્સપર્ટ્સ માને છે
  • અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસનો PE રેશિયો 700 કરતા વધારે છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Gautam-Adani
ગૌતમ અદાણીની કંપનીઓના શેર ઝડપથી વધ્યા છે પરંતુ MFs રોકાણ ટાળે છે.
Adani Group Stocks: અદાણી જૂથના શેરોમાં છેલ્લા અઢી વર્ષમાં એવી તેજી આવી છે કે જે રોકાણકારો આ સ્ટોક્સ ખરીદવાનું ચુકી ગયા છે તેમને અફસોસ થાય છે. પરંતુ કરોડ રૂપિયાની મૂડીનું સંચાલન કરતા મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણીના સ્ટોકમાં ખરીદી કરવાનું ટાળ્યું છે. ડાઈવર્સિફાઈડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે એકંદરે અદાણી જૂથની કંપનીઓમાં મોટી ખરીદી નથી કરી તે નવાઈની વાત છે. છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી જૂથની માર્કેટ કેપિટલ 1.6 ટ્રિલિયન ડોલરથી વધીને 20 ટ્રિલિયન ડોલરને સ્પર્શ કરી ગઈ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ્સ સાવધ વલણ અપનાવે છે. અદાણી ગ્રૂપના છ સ્ટોક લિસ્ટેડ છે તેમાંથી ચાર સ્ટોકે આ ગાળામાં 16થી 18 ગણું રિટર્ન આપ્યું છે.
પહેલી ઓક્ટોબરથી નેચરલ ગેસમાં ભાવ વધારાના ડામ માટે તૈયાર રહોઃ CNG મોંઘો પડશે
અદાણીના સ્ટોક્સમાં એવી તેજી છે કે તેના કારણે આ ગ્રૂપના વડા અને સ્થાપક ગૌતમ અદાણી વિશ્વમાં બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. અદાણીના સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ જોવામાં આવે તો તે મોટા ભાગે આર્બિટ્રેજ ફંડ્સ અને ઈક્વિટી સેવિંગ્સ ફંડમાં છે જ્યાં ઇક્વિટી એક્સપોઝરનો ઉપયોગ હેજિંગ માટે થાય છે. ફંડ હાઉસિસે અદાણી ગ્રૂપની કંપનીઓ Adani Enterprises અને Adani Portsમાં રોકાણ કર્યું છે જ્યારે બાકીની કંપનીઓમાં રોકાણ ટાળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી સેઝમાં લગભગ 22થી 28 ફંડ હાઉસિસે મૂડી રોકી છે.
તહેવારોમાં લોકો પરિવાર સાથે પિત્ઝા ઝાપટશે ત્યારે આ સ્ટોક તમને ધૂમ કમાણી કરાવશે
અદાણીના શેરોથી મ્યુચ્યુઅલ ફંડ્સ કેમ દૂર ભાગે છે?
મ્યુચ્યુઅલ ફંડ્સ હાલમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં ખરીદી નથી કરતા તેનું કારણ આ સ્ટોક્સનું વધારે પડતું વેલ્યુએશન છે. એક ફંડ મેનેજરે કહ્યું કે અદાણીના શેરનું વેલ્યુએશન અગાઉ પણ વધારે હતું અને અત્યારે પણ ઉંચું છે. આ શેરોના ભાવ ઘટે તો તેમાં એન્ટ્રી કરી શકાય. ઉદાહરણ તરીકે છેલ્લા 12 મહિનામાં અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) અને અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)નો પીઈ રેશિયો 700 ગણા કરતા વધારે છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી ટ્રાન્સમિશનના શેર તેના અર્નિંગ કરતા 400થી 450 ગણા ભાવે ટ્રેડ થાય છે. ફંડ મેનેજર્સે કહ્યું કે અદાણી ગ્રૂપ પરનું જંગી દેવું એટલું ચિંતાજનક નથી કારણ કે તે લાંબા ગાળા માટે પથરાયેલ છે. હાલમાં આ જૂથ પર 2.2 લાખ કરોડથી વધારે દેવું છે.
દુનિયાના બીજા સૌથી ધનવાન ગૌતમ અદાણી આજે પણ કેમ અમદાવાદમાં જ રહે છે?
રોકાણકારોએ શું કરવું?મોટા ભાગના બેન્ચમાર્ક સૂચકાંકમાં અદાણી જૂથના શેરો સામેલ છે. Nifty 50 ઈન્ડેક્સમાં અદાણી પોર્ટ (Adani Port) સામેલ છે. નિફ્ટી નેક્સ્ટ 50માં અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises)નો સમાવેશ થશે. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે. રોકાણકારો આ સ્ટોક્સમાં મૂડી લગાવતા પહેલા જોખમનો વિચાર કરે કારણ કે આ શેરોના ભાવ પહેલેથી ઘણા ઉંચકાઈ ગયા છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story