એપશહેર

જાહેરખબરોને વિવાદો સાથે છે જૂનો સંબંધ, હવે Zomatoએ પાછી લેવી પડી Hrithik Roshan સ્ટારર આ એડ

અત્યારે હૃતિક રોશન સ્ટારર ઝોમેટોની એક જાહેરખબરની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જાહેરખબર સામે ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના પૂજારીઓએ વિરોધ કર્યો છે જેના પરિણામે કંપનીએ માફી માંગી છે અને જાહેરખબર પણ પાછી ખેંચી લીધી છે. આ પહેલા પણ ઘણી જાહેરખબરો આ પ્રકારે વિવાદમાં સપડાઈ હતી. જાણો, ઝોમેટોની એડ સામે લોકોને શું વાંધો પડ્યો?

Edited byZakiya Vaniya | TNN 22 Aug 2022, 2:08 pm
અમિત શુક્લા, નવી દિલ્હી- ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટોએ વિવાદ થયા પછી અભિનેતા હૃતિક રોશન સ્ટારર એડ પાછી લઈ લીધી છે. આ સાથે જ કંપનીએ અને હૃતિક રોશને માફી પણ માંગી છે. લોકોની સ્પષ્ટતા માટે ખુલાસો કરવામાં આવ્યો છે કે, જાહેરાતમાં મહાકાલનો સંદર્ભ મંદિર માટે નહીં તે નામની એક રેસ્ટોરાં માટે હતો. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાળેશ્વર મંદિર છે. તેના પૂજારીઓએ જાહેરાત સામે વાંધો ઉપાડ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે તેનાથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ જાહેર ખબરને કારણે વિવાદ થયો હોય. એડવર્ટાઈઝમેન્ટ અને વિવાદનો જૂનો સંબંધ છે. આ પહેલા ફેબઈન્ડિયા, ડાબર ફેમ, માન્યવર, સબ્યસાચી વગેરેની જાહેરખબરો વિવાદમાં મૂકાઈ છે.
I am Gujarat zomato ad
વિવાદમાં સપડાઈ હૃતિક રોશન સ્ટારર એડ.


મળો બે બહાદુર બહેનોને, જેમણે છ વર્ષ લાંબા સંઘર્ષ પછી પોતાના પિતાને અપાવી આજીવન કેદની સજા
Zomatoની એડ પર કેમ વિવાદ થયો?

ઝોમેટોની જે એડ પર હોબાળો થયો છે, તેમાં હૃતિક રોશન કહે છે કે, ઉજ્જૈનમાં થાળી ખાવાનું મન થયું, તો મંગાવી લીધી મહાકાલથી. હવે મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ આ જાહેર ખબર સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મંદિરથી કોઈ થાળી ડિલિવર કરવામાં નથી આવતી. સોશિયલ મીડિયા પર પણ આ એડનો વિરોધ કરવામાં આવ્યો. વધતા વિવાદને ધ્યાનમાં રાખીને ઝોમેટોએ માફી માંગી લીધી. ઝોમેટોએ ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, હૃતિક રોશન સ્ટારર એડ જે ઉજ્જૈનના ખાસ પિન-કોડમાં ચાલે છે, તે મહાકાલ રેસ્ટોરાંની થાળીના સંદર્ભમાં હતી, પરમ પૂજનીય મહાકાલેશ્વર મંદિર માટે નહીં. મહાકાલ રેસ્ટોરાં અમારા પાર્ટનર રેસ્ટેરાંમાંથી એક છે. અમે ઉજ્જૈનના લોકોની લાગણીઓનું સન્માન કરીએ છીએ. અમારો હેતુ કોઈની લાગણી દુભાય તે નહોતો. હવે તે એડ નથી ચાલી રહી.


Feb India

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દિવાળીને ધ્યાનમાં રાખીને ફેબ ઈન્ડિયાએ એક એડ રીલિઝ કરી હતી, જેનું નામ આપવામાં આવ્યુ હતું- જશ્ન એ રિવાઝ. તે સમયે પણ કેમ્પેઈનનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આરોપ મૂકવામાં આવ્યો હતો કે, હિન્દી તહેવારોને લગતી જાહેરખબરમાં ઉર્દુ શબ્દ રિવાઝનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. ત્યારપછી ફેબ ઈન્ડિયાએ પણ જાહેરખબરને પાછી લેવી પડી હતી.

Dabur FEM

ડાબર ફેમ પ્રોડક્ટની એક જાહેર ખબર પર પણ આ જ પ્રકારનો હોબાળો થયો હતો. કરવા ચૌથના અવસર પર કંપનીએ એક એડ જાહેર કરી હતી જેમાં સજાતિય સંબંધને દર્શાવવામાં આવ્યો હતો. આમાં બે મહિલાઓ કરવા ચોથની ઉજવણી કરી રહી હતી. એડમાં દર્શાવવામાં આવ્યુ હતું કે, મહિલાઓ ગોરી દેખાવવા માટે એકબીજાના ચહેરા પર ફેમ બ્લીચ લગાવે છે. ઘણાં લોકોએ આ જાહેરખબરનો વિરોધ રંગભેદને કારણે કર્યો હતો. જ્યારે અમુક લોકોએ હિન્દુ પરંપરાનો ઉપયોગ કરીને સજાતિય સંબંધ જેવી બાબત દર્શાવવા માટે વિરોધ કર્યો હતો.

માન્યવર


માન્યવરની બ્રાઈડલ કલેક્શન એડમાં કન્યાદાનનો કન્સેપ્ટ લોકોને રાસ નહોતો આવ્યો. આ એડમાં આલિયા ભટ્ટ હતી. લોકોએ તેને પણ ખૂબ ટ્રોલ કરી હતી. નવી મુંબઈમાં માન્યવરના શૉરુમની બહાર હિન્દુ સંગઠનોએ હોબાળો પણ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ બ્રાન્ડને બોયકોટ કરવાની માંગ ઉઠી હતી.

સબ્યસાચી

ડિઝાઈનર સબ્યસાચીએ મંગળસૂત્ર વાળા કેમ્પેઈન માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એડ માટે જે તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે લોકોને પસંદ નહોતી આવી. આ જાહેરખબરની સરખામણી બ્રા અને કોન્ડોમની એડ સાથે કરવામાં આવી હતી. બ્રાન્ડે પોતાનુ કેમ્પેઈન પાછું લેવુ પડ્યુ હતું.

CEAT

ટાયર બનાવતી દિગ્ગજ કંપની સિએટએ આમિર ખાન સાથે એક એડ બનાવી હતી. તેમાં આમિર ખાન લોકોને દીવાળીના અવસર પર ફટાકડા ન ફોડવાની સલાહ આપતા જણાઈ રહ્યો છે. લોકોએ આ એડને ધર્મનો રંગ આપ્યો હતો અને રાજનીતિ ગરમાઈ હતી. ત્યારપછી કંપનીએ એડ પાછી લેવી પડી હતી. આ સિવાય તનિષ્કની એડ પણ ઘણી વાર વિવાદમાં મૂકાય છે.

Read Next Story