એપશહેર

નબળી નિકાસ ‘દલાલ સ્ટ્રીટ’માટે છુપા આશીર્વાદ

I am Gujarat 29 Jun 2018, 4:09 pm
મુંબઈ:નિકાસના મોરચે નબળી કામગીરી બદલ ભારતને ઘણી વખત ટીકાનો સામનો કરવો પડ્યો છે. જોકે, ટ્રેડ વોર વકરશે તો આ બાબત સ્થાનિક શેરબજાર માટે વરદાનરૂપ સાબિત થશે. ઊભરતા બજારોના ચલણમાં ઘટાડાની સ્થિતિમાં ‘દલાલ સ્ટ્રીટ’ સુરક્ષિત બજારની છાપ ઊભી કરવામાં સફળ રહ્યું છે.
I am Gujarat news 165
નબળી નિકાસ ‘દલાલ સ્ટ્રીટ’માટે છુપા આશીર્વાદ


વૈશ્વિક મની મેનેજર્સના જણાવ્યા અનુસાર ભારતનું અર્થતંત્ર સ્થાનિક વપરાશ પર આધારિત હોવાના કારણે ‘ટ્રેડ વોર’ની ચિંતાથી તેને ખાસ નુકસાન નહીં થાય. હોંગકોંગ સ્થિત મેન્યુલાઇફ એસેટ મેનેજમેન્ટ (એશિયા)ના સિનિયર એશિયા સ્ટ્રેટેજિસ્ટ (કેપિટલ માર્કેટ્સ એન્ડ સ્ટ્રેટેજી ગ્રૂપ) જેફ લુઇસે જણાવ્યું હતું કે, “ભારત ‘ટ્રેડ વોર’ના કેન્દ્ર સ્થાને નથી. તે સ્થાનિક વપરાશ આધારિત અર્થતંત્ર છે.”

નિષ્ણાતોના મતે સૌથી ઝડપે વધી રહેલા અર્થતંત્ર અને છેલ્લા કેટલાક વર્ષમાં લાંબા ગાળાના માળખાકીય સુધારાના અમલના બેવડા પરિબળ ભારતીય બજારને વિદેશી આંચકામાંથી બાકાત રાખશે. ઉલ્લેખનીય છે કે, 2017-’18ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની GDP 7.7 ટકાના દરે વધી હતી, જે સમાન ગાળામાં ચીનના 6.8 ટકાના વૃદ્ધિદર કરતાં વધુ હતી.

વિશ્લેષકોના મતે અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે પહેલી વખત ટ્રેડ વોરની ધમકી ઉચ્ચારી ત્યારથી ભારતીય બજારમાં 2-3 ટકા વધારો નોંધાયો છે. જેની સામે મહત્ત્વના ઊભરતા બજારો 19 ટકા સુધી તૂટ્યા છે. 64792099
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો