એપશહેર

ઇક્વિટી માટેની ફાળવણીમાં વધારો કરવાનો સમય

I am Gujarat 30 Sep 2018, 9:18 am
65993600 દેવર્ષ વકીલ , હેડ – એડવાઈઝરી , પ્રાયવેટ બ્રોકિંગ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ , એચડીએફસી સિક્યોરિટીઝ લિમિટેડ
I am Gujarat news 215
ઇક્વિટી માટેની ફાળવણીમાં વધારો કરવાનો સમય


આજે બજારમાં સપ્ટેમ્બર મહિનાની ડેરિવેટિવ્ઝની એક્સ્પાયરી થઈ હતી. નીચા એકંદર રોલઓવરથી શેરો પર અને ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોમાં આજે વધુ દબાણ આવ્યું હતું. નિફ્ટીમાં 0.7 ટકા ઘટાડો થયો હતો અને ચાલુ મહિનામાં આશરે છ ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. બેન્ક નિફ્ટીમાં ચાલુ મહિને આશરે 11 ટકા કરેક્શન આવ્યું છે. ક્રૂડ ઓઇલના ઊંચા વૈશ્વિક ભાવ અને ચલણના મોરચે રાહતના અભાવથી બજારના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો છે.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ધારણા મુજબ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ અમેરિકાનાં બજારો ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં. રિયલ એસ્ટેટ અને એનબીએફસી શેરો વ્યાજસંવેદી શેરોને પણ નેગેટિવ અસર થઈ હતી.

કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો ખૂબ ઊંચા વેલ્યુએશનને ટ્રેડ થઈ રહ્યા હતા. કેટલાક કિસ્સામાં તેમના વેલ્યુએશન લાર્જ-કેપ હરીફ કંપનીઓ કરતાં 50 ટકા સુધી ઊંચા હતા. આ ક્ષેત્રમાં કરેક્શન અનિવાર્ય હતું.

બજારના કેટલાક ખેલાડીઓને ધારણા છે કે એનબીએફસીની ફંડિંગ કોસ્ટમાં ઉછાળો આવશે અને તેના પરિણામે તેનાં માર્જિન કથળશે. એનબીએફસી શેરોમાં તીવ્ર ઘટાડાથી એક દુષ્ચક્ર ચાલુ થયું હતું. લિવરેઝ્ડ પોઝિશનમાં નુકસાનથી બીજા શેરોમાં આ નુકસાન કવર કરવા વેચવાલી આવી હતી. તેનાથી બજારમાં વધુ ઘટાડો થયો હતો. ભૂતકાળના ડેટામાંથી સંકેત મળે છે કે નિફ્ટીમાં 10,866એ બનેલી બોટમ ટૂંકા ગાળામાં ન તૂટે તેવી ધારણા છે.

નવેમ્બરમાં અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી બાદ ટ્રમ્પ તેમના ટ્રેડવોરમાંથી પીછેહટ કરે તે પછી જ ભારતનાં બજાર અને બીજાં ઊભરતાં બજારોમાં સાતત્યપૂર્ણ રિબાઉન્ડનો અવકાશ ઊભો થશે.

લાંબા ગાળાની નાણાકીય સફળતાનું સૌથી વધુ મહત્ત્વનું પરિબળ એસેટની ફાળવણી છે. રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતાને આધારે યોગ્ય એસેટ એલોકેશન પ્લાન બજારમાં ચડિયાતા વળતર માટેની ચાવી છે. આપણે કોઈ એક સામાન્ય સિદ્ધાંત બનાવવો જોઈએ નહીં. આ ઉપરાંત સ્મોલ કે મિડ-કેપ શેરોના આધારે રોકાણ કરવું જોઈએ નહીં. વ્યક્તિગત મેરિટને આધારે રોકાણનું મૂલ્યાંકન કરવું જોઈએ.

ભારતના ઇક્વિટીમાં રોકાણનો લાંબા ગાળાનો સિદ્ધાંત અકબંધ છે. રોકાણકારોએ પસંદગીના શેરોમાં સિસ્ટમેટિક ધોરણે રોકાણ ચાલુ રાખવું જોઈએ. એક ખોટી ધારણા એ છે કે ઇન્ડેક્સમાં વધારો થાય ત્યારે શેરબજારમાં કમાણી કરવાનું સરળ હોય છે. યોગ્ય શેરોની પસંદગી સરળ નથી. ટીવી જોવાથી કે વર્તમાનપત્ર વાંચવાથી શેરોની પસંદગી થઈ શકે નહીં.

સફળતાપૂર્વક શેરની પસંદગી કરવા માટે કંપની અને તેના શેરના મૂલ્યનું વિશ્લેષણ કરવું પડે છે. શ્રેષ્ઠ કંપનીનો શેર શ્રેષ્ઠ હોય તેવું માનશો નહીં. હંમેશા વાજબી ભાવે અદ્‌ભુત બિઝનેસને શોધવાનો પ્રયાસ કરો.

મે ડિસેમ્બર અને મે મહિનામાં ઇક્વિટી રોકાણમાં ઘટાડો કરવાની વાચકોને ભલામણ કરી હતી. હું માનું છું કે ઇક્વિટી રોકાણને વધારીને ટોચ સુધી લઈ જવાનો સમય છે. તમારી ક્ષમતાને આધારે જોખમ લો, પરંતુ અત્યારે જ જોખમ છે.

હાલના તબક્કે રોકાણ માટે કોર્પોરેટ લેન્ડિંગ બેન્ક, મેટલ, એનર્જી, રોડ કન્સ્ટ્રક્શન કંપનીઓ, કેમિકલ અને રિયલ એસ્ટેટ કંપનીઓ મને સારી લાગે છે.

<b>ડિસ્ક્લેમર :</b>વિવિધ બ્રોકરેજ , વિશ્લેષકો અને ફંડ મેનેજરો દ્વારા આ પાના પર દર્શાવાયેલા વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અહીં દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી. www.economictimes.com પર ઈટીના સિદ્ધાંતોની આચારસંહિતા ચકાસવા વિનંતી છે.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો