71751639 અમદાવાદ:રાજ્યની છ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીમાં મોડી સાંજે થયેલા સ્પષ્ટ ચિત્ર જોતાં ભાજપને ત્રણ અને કોંગ્રેસને ત્રણ બેઠકો જીતી હતી. જેમાં ત્રણ બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.
કોંગ્રેસે ઉત્તર ગુજરાતની ત્રણ, જ્યારે એક બેઠક ભાજપ જીતી છે. જેમાં ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે. થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 6,390 મતે જીત્યા છે. બાયડ બેઠક પર જશુભાઈ પટેલ જીતતાં કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવામાં સફળ નીવડી છે. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક ભારે કશ્મકશ બાદ આખરે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ જીત્યા છે તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિજ્ઞેશ સેવકની જીત થઈ છે .
અમરાઈવાડી બેઠક પર મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી કોંગ્રેસના ઉમેદવાર આગળ રહેતાં કોંગ્રેસને આ બેઠક મળવાની આશા જાગી હતી, પરંતુ છેલ્લા ત્રણચાર રાઉન્ડમાં ભાજપના જગદીશ પટેલે લીડ મેળવતાં તેમની જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ મેદાનમાં હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં હતા. ભાજપના ધારાસભ્ય એચએસ પટેલ અમદાવાદ પૂર્વલોકસભા બેઠક પરથી ચૂંટાતાં અમરાઈવાડી બેઠક ખાલી પડી હતી.
ઉત્તર ગુજરાતની થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની જીત થઈ છે. ગુલાબસિંહે ભાજપના ઉમેદવાર સામે છ હજાર કરતાં વધારે મતોથી વિજય મેળવ્યો છે. ભાજપ તરફથી આ બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં હતા. ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતાં બેઠક ખાલી પડી હતી.
લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવારની 12,028 મતોથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપના જિજ્ઞેશ સેવક મેદાનમાં હતા, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટાતાં બેઠક ખાલી પડી હતી.
ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 20,000થી વધારે મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર બાબુજી ઠાકોર મેદાનમાં હતા. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતાં બેઠક ખાલી પડી હતી.
બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી પક્ષપલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલા મેદાનમાં હતા. કોંગ્રેસે આ બેઠક પરથી જશુભાઈ પટેલને ટિકિટ ફાળવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં બેઠક ખાલી પડી હતી.
રાજ્યની 6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું. અમરાઇવાડીમાં માત્ર 34.69 ટકા, જ્યારે ખેરાલુમાં 46.19 ટકા મતદાન થયું હતું. થરાદમાં 68.93 ટકા, રાધનપુરમાં 62.91 ટકા, બાયડમાં 61.05 ટકા અને લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં સરેરાશ 56.76 ટકા પુરુષ તેમજ 50.03 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસે ઉત્તર ગુજરાતની ત્રણ, જ્યારે એક બેઠક ભાજપ જીતી છે. જેમાં ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે. થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 6,390 મતે જીત્યા છે. બાયડ બેઠક પર જશુભાઈ પટેલ જીતતાં કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવામાં સફળ નીવડી છે. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક ભારે કશ્મકશ બાદ આખરે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ જીત્યા છે તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિજ્ઞેશ સેવકની જીત થઈ છે .
અમરાઈવાડી બેઠક પર મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી કોંગ્રેસના ઉમેદવાર આગળ રહેતાં કોંગ્રેસને આ બેઠક મળવાની આશા જાગી હતી, પરંતુ છેલ્લા ત્રણચાર રાઉન્ડમાં ભાજપના જગદીશ પટેલે લીડ મેળવતાં તેમની જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ મેદાનમાં હતા, જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં હતા. ભાજપના ધારાસભ્ય એચએસ પટેલ અમદાવાદ પૂર્વલોકસભા બેઠક પરથી ચૂંટાતાં અમરાઈવાડી બેઠક ખાલી પડી હતી.
ઉત્તર ગુજરાતની થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની જીત થઈ છે. ગુલાબસિંહે ભાજપના ઉમેદવાર સામે છ હજાર કરતાં વધારે મતોથી વિજય મેળવ્યો છે. ભાજપ તરફથી આ બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં હતા. ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતાં બેઠક ખાલી પડી હતી.
લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવારની 12,028 મતોથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપના જિજ્ઞેશ સેવક મેદાનમાં હતા, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટાતાં બેઠક ખાલી પડી હતી.
ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 20,000થી વધારે મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર બાબુજી ઠાકોર મેદાનમાં હતા. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતાં બેઠક ખાલી પડી હતી.
બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી પક્ષપલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલા મેદાનમાં હતા. કોંગ્રેસે આ બેઠક પરથી જશુભાઈ પટેલને ટિકિટ ફાળવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં બેઠક ખાલી પડી હતી.
રાજ્યની 6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું. અમરાઇવાડીમાં માત્ર 34.69 ટકા, જ્યારે ખેરાલુમાં 46.19 ટકા મતદાન થયું હતું. થરાદમાં 68.93 ટકા, રાધનપુરમાં 62.91 ટકા, બાયડમાં 61.05 ટકા અને લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં સરેરાશ 56.76 ટકા પુરુષ તેમજ 50.03 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.