એપશહેર

બજેટના દિવસે શનિવારે બજારમાં રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે

I am Gujarat 23 Jan 2020, 2:52 pm
73547646 નવી દિલ્હી:પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે શેરબજાર રાબેતા મુજબ ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે. શેરબજાર કોઈ ખાસ સ્થિતિ કે ઘટના સિવાય શનિ અને રવિવારે બંધ રહે છે. BSEએ એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, “બજાર પહેલી ફેબ્રુઆરીના રોજ શનિવારે 2020-’21ના બજેટની રજૂઆત નિમિત્તે ચાલુ રહેશે.”
I am Gujarat news 589
બજેટના દિવસે શનિવારે બજારમાં રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે


બજારમાં ટ્રેડિંગ સવારના 9થી બપોરના 3.30 સુધી ચાલશે. બજારસૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં બજારની વધઘટને લગતી જાહેરાતો થતી હોવાથી બજારવર્તુળોની વિનંતીને કારણે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાન અરુણ જેટલીએ 2015માં બજેટ રજૂ કર્યું ત્યારે સ્ટોક એક્સ્ચેન્જિસ ખુલ્લાં રહ્યાં હતાં. 2001માં બજેટની રજૂઆતનો સમય સાંજના 5 વાગ્યાથી બદલી સવારના 11 વાગ્યાનો કરાયો ત્યારથી શેરબજારમાં હંમેશા રાબેતા મુજબનું ટ્રેડિંગ ચાલુ રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો