74425256નવી દિલ્હી: વિતેલું સપ્તાહ 2008ની નાણાકીય કટોકટી બાદનું શેરબજારનું સૌથી ખરાબ ટ્રેડિંગ સપ્તાહ પૂરવાર થયું હતું. આગામી સપ્તાહે ભારતીય બજાર ભાવિ ચાલ માટે વૈશ્વિક સંકેતો પર જ આધારિત રહેશે.
રોકાણકારો હાલમાં કોરોનાના રોગચાળાની અસરોનો ક્યાસ કાઢી રહ્યા હોવાથી આગામી સપ્તાહે પણ બજારની ચાલનો આધાર કોરોના અપડેટ પર નિર્ભર રહેવાની ધારણા છે, તેમ કેટલાંક બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ગયા શુક્રવારે BSE સેન્સેક્સે તેના ઈતિહાસનો બીજો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાવ્યો હતો. કોરોના વાઈરસની અસર વિશ્વભરમાં ધાર્યા કરતાં વધુ ખતરનાક હોવાની પ્રતીતિ થતાં વિશ્વભરના બજારોમાં વેચવાલીનું ઘોડાપૂર ઉમટ્યું હતું.વિશ્વભરમાં કુલ 50 દેશોના 85,000 લોકો આ રોગની ઝપેટમાં આવી ગયા છે અને 2,900નાં મોત નીપજ્યા છે.
જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, જો કોરોના વાઈરસ ઝડપથી પ્રસરશે અને તેનું ઈન્ફેક્શન વધુ લાંબો સમય ટકશે તો બજાર સામેના જોખમમાં વધારો થશે.
કોરોના કેટલો પ્રસર્યો છે? અને તેને કાબુમાં લાવતા હજુ કેટલો સમય લાગશે? તેના પર શેરબજારની ભાવિ ચાલનો આધાર રહેલો છે. ચીન સરકારે તેની ઈકોનોમીમાં સુધારા માટે કરેલા પ્રયાસો બાદ દેશમાં અર્થતંત્રની ગતિને વેગવાન બનાવવા ભારત સરકાર કેવા પગલાં ભરે છે તેના પર પણ બજારની ચાલનો આધાર છે.
શુક્રવારે બજાર બંધ થયા બાદ રજૂ થયેલા જીડીપીનાં આંકડાની પણ સોમવારે બજાર ખૂલશે ત્યારે અસર જોવા મળશે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2019ના સમયગાળામાં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (GDP) ઘટીને 4.7 ટકાની સાત વર્ષની નીચી સપાટીએ આવી ગઈ હતી.
એમ્કે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે કહ્યું હતું કે, બજાર હાલમાં ભલે કોરોના વાઈરસની અસરના ભયે ગગડ્યું હોય પણ બજાર હાલમાં જીડીપી અને અર્નિંગ ગ્રોથ વચ્ચેના સંબંધને ધ્યાનમાં લેતા કેટલું ઓવર વેલ્યૂડ છે તે સમજવું જરૂરી છે.
સેમ્કો સિક્યુરિટીઝ એન્ડ સ્ટોકનોટના સંસ્થાપક અને સીઈઓ જિમીત મોદીએ કહ્યું હતું કે, રોકાણકારો આગામી સપ્તાહે SBI કાર્ડના IPO અને RITESની સરકાની ઓફર ફોર સેલ પર પણ નજર રાખે તેવી શક્યતા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે બજાર ચોક્સપણ કોરોના વાઈરસના ઘટનાક્રમ અને વૈશ્વિક સંકેતોના ઈશારે જ ચાલે તેવી ધારણા છે.
“ફન્ડામેન્ટલી જોઈએ તો હાલમાં ભારતીય શેરબજારનું વેલ્યૂએશન ઘણું ઊંચું છે તેથી તેમાં કરેક્શનની જરૂર જણાય છે. હાલમાં બજાર પડ્યું તેના માટે કોરોના વાઈરસને જવાબદાર ગણાવી દેવાયું છે પણ સાથે સાથે ઓવરવેલ્યૂએશન પણ એક કારણ છે તે ન ભૂલવું જોઈએ”, તેમ તેમણે જણાવ્યું હતું.
શુક્રવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ એક જ ટ્રેડિંગ સેશનમા 1,448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકા ઘટીને 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
વિતેલા સપ્તાહે BSE સેન્સેક્સ 2,872.83 પોઈન્ટ્સ અથવા 6.97 ટકા જ્યારે NSE નિફ્ટી 879.10 પોઈન્ટ્સ અથવા 7.27 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
રોકાણકારો હાલમાં કોરોનાના રોગચાળાની અસરોનો ક્યાસ કાઢી રહ્યા હોવાથી આગામી સપ્તાહે પણ બજારની ચાલનો આધાર કોરોના અપડેટ પર નિર્ભર રહેવાની ધારણા છે, તેમ કેટલાંક બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ગયા શુક્રવારે BSE સેન્સેક્સે તેના ઈતિહાસનો બીજો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાવ્યો હતો. કોરોના વાઈરસની અસર વિશ્વભરમાં ધાર્યા કરતાં વધુ ખતરનાક હોવાની પ્રતીતિ થતાં વિશ્વભરના બજારોમાં વેચવાલીનું ઘોડાપૂર ઉમટ્યું હતું.વિશ્વભરમાં કુલ 50 દેશોના 85,000 લોકો આ રોગની ઝપેટમાં આવી ગયા છે અને 2,900નાં મોત નીપજ્યા છે.
જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, જો કોરોના વાઈરસ ઝડપથી પ્રસરશે અને તેનું ઈન્ફેક્શન વધુ લાંબો સમય ટકશે તો બજાર સામેના જોખમમાં વધારો થશે.
કોરોના કેટલો પ્રસર્યો છે? અને તેને કાબુમાં લાવતા હજુ કેટલો સમય લાગશે? તેના પર શેરબજારની ભાવિ ચાલનો આધાર રહેલો છે. ચીન સરકારે તેની ઈકોનોમીમાં સુધારા માટે કરેલા પ્રયાસો બાદ દેશમાં અર્થતંત્રની ગતિને વેગવાન બનાવવા ભારત સરકાર કેવા પગલાં ભરે છે તેના પર પણ બજારની ચાલનો આધાર છે.
શુક્રવારે બજાર બંધ થયા બાદ રજૂ થયેલા જીડીપીનાં આંકડાની પણ સોમવારે બજાર ખૂલશે ત્યારે અસર જોવા મળશે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2019ના સમયગાળામાં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (GDP) ઘટીને 4.7 ટકાની સાત વર્ષની નીચી સપાટીએ આવી ગઈ હતી.
એમ્કે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે કહ્યું હતું કે, બજાર હાલમાં ભલે કોરોના વાઈરસની અસરના ભયે ગગડ્યું હોય પણ બજાર હાલમાં જીડીપી અને અર્નિંગ ગ્રોથ વચ્ચેના સંબંધને ધ્યાનમાં લેતા કેટલું ઓવર વેલ્યૂડ છે તે સમજવું જરૂરી છે.
સેમ્કો સિક્યુરિટીઝ એન્ડ સ્ટોકનોટના સંસ્થાપક અને સીઈઓ જિમીત મોદીએ કહ્યું હતું કે, રોકાણકારો આગામી સપ્તાહે SBI કાર્ડના IPO અને RITESની સરકાની ઓફર ફોર સેલ પર પણ નજર રાખે તેવી શક્યતા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે બજાર ચોક્સપણ કોરોના વાઈરસના ઘટનાક્રમ અને વૈશ્વિક સંકેતોના ઈશારે જ ચાલે તેવી ધારણા છે.
“ફન્ડામેન્ટલી જોઈએ તો હાલમાં ભારતીય શેરબજારનું વેલ્યૂએશન ઘણું ઊંચું છે તેથી તેમાં કરેક્શનની જરૂર જણાય છે. હાલમાં બજાર પડ્યું તેના માટે કોરોના વાઈરસને જવાબદાર ગણાવી દેવાયું છે પણ સાથે સાથે ઓવરવેલ્યૂએશન પણ એક કારણ છે તે ન ભૂલવું જોઈએ”, તેમ તેમણે જણાવ્યું હતું.
શુક્રવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ એક જ ટ્રેડિંગ સેશનમા 1,448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકા ઘટીને 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
વિતેલા સપ્તાહે BSE સેન્સેક્સ 2,872.83 પોઈન્ટ્સ અથવા 6.97 ટકા જ્યારે NSE નિફ્ટી 879.10 પોઈન્ટ્સ અથવા 7.27 ટકા ઘટીને બંધ રહ્યા હતા.