એપશહેર

30 લાખથી વધુની હોમ લોનના ધારકોને મળશે રાહત, વ્યાજદર ઘટશે

30 લાખથી મોટી હોમ લોનના ગ્રાહકો વધારવા માટે RBIએ બેંકોને વિશેષ છૂટછાટ આપતા મોટી હોમ લોન લેનારા ગ્રાહકોને વ્યાજ દરમાં મળશે રાહત.

Authored byPrabhakar Sinha | TNN 10 Oct 2020, 8:15 am
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક અને ફાઇનાન્સ કંપનીને રાહત આપવાના પગલા સાથે રુ. 30 લાખથી વધુની હોમ લોન ધરાવતા ગ્રાહકોને રાહત મળશે. સૌથી મોટો ઘટાડો રુ. 75 લાખથી વધુની લોન માટે આવી શકે છે. જ્યારે હાલના તબક્કે લોનના રેટ કેટલી રકમની લોન લીધી છે તેના પર નિર્ભર કરે છે.
I am Gujarat now more then 30 lakh home loan borrower will get ease due to cut in interest rate
30 લાખથી વધુની હોમ લોનના ધારકોને મળશે રાહત, વ્યાજદર ઘટશે


ઉદાહરણ તરીકે રુ. 30 લાખ સુધીની હોમ લોન માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 7 ટકા જેટલો વ્યાજદર વસૂલે છે. તો રુ. 30 લાખથી વધુ અને રુ. 75 લાખથી ઓછી લોન માટે બેંક 7.25 ટકાનો વ્યાજદર વસૂલે છે. સમાનરીતે પંજાબ નેશનલ બેંક ત્રણ સ્લોટમાં અનુક્રમે 7.15, 7.25 અને 7.30થી 7.40 ટકા વ્યાજ વસૂલે છે. જ્યારે પ્રાઈવેટ સેક્ટરની હોમ ફાઈનાન્સ બેંક HDFC લી. પણ રુ. 30 લાખથી નેચીની હોમ લોન અને ઉપરની હોમ લોન માટે 6.95થી 7.05 ટકા સુધી જુદો જુદો ચાર્જ વસૂલે છે. આ ઉપરાંત મોટાભાગની બેંક જ્યાં મહિલા લોન ધારક હોય છે ત્યાં 5 બેઝિસ પોઇન્ટ જેટલો ઘટાડો કરે છે.

વ્યાજદરોમાં પ્રગતિશીલ વધારો, મૂડી આવશ્યકતાઓને કારણે છે જે લોનના કદ સાથે વધે છે. હાલમાં, બેંકે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન માટે નિર્ધારિત મૂડીના ફક્ત 35% જ મૂડી જાળવવાની હોય છે. પરંતુ જ્યાં લોનની રકમ 30 લાખથી 75 લાખ સુધીની હોય ત્યાં આ રકમ 50 ટકા જેટલી હોય છે અને 75 લાખથી વધુની લોન માટે 75% જેટલી મૂડી જાળવવાની હોય છે.

અનસિક્યોર્ડ પર્સનલ લોનથી વિપરીત, જેમાં નિર્ધારિત મૂડીના 100% ટકા જાળવવાની બેંકને આવશ્યકતા રહે છે, હોમ લોન માટે બેંકોને ઓછી મૂડી જાળવવાની છૂટ હોય છે કારણે કે આ લોનને સુરક્ષાની દ્રષ્ટીએ સલામત માનવામાં આવે છે. લોનના કદ ઉપરાંત, મૂડી આવશ્યકતાઓ પણ મિલકતના મૂલ્યની તુલનામાં લોનની રકમ પર આધારિત છે, જેને લોન-ટુ-વેલ્યુ (LTV) પણ કહેવામાં આવે છે. જો ઘર ખરીદનાર પોતાના યોગદાન તરીકે મિલકતનું 20% મૂલ્ય પોતે લાવે છે અને બાકીના 80% હોમ લોન લે છે. તો બેંક માટે મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને તેનો ફાયદો નીચા વ્યાજદરના રૂપે ગ્રાહકને આપવામાં આવે છે.

શુક્રવારે પોતાની ક્રેડિટ પોલિસીમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, માર્ચ 2022 સુધી મૂડીની જરૂરિયાત ફક્ત એલટીવી પર આધારિત છે, નહીં કે લોનના કદ પર. "જ્યાં LTV 80 ટકા હોય અથવા તેનાથી ઓછી હોય તો લોન આપનાર બેંક 35% સુધીનું જોખમ ઉઠાવી શકે છે. અને જ્યાં LTV 80 ટકા થી વધારે પણ 90 ટકાથી ઓછું હોય ત્યાં બેંકો 50 ટકા જેટલું જોખમ વઠાવી શકે છે.'

એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું કે મોટા કદના હોમ લોન પરના વ્યાજના દર સૌથી નીચા હોમ લોનના દર સાથે સરખાવવામાં આવી શકે છે, જે હાલમાં આશરે 7% જેટલા છે. વિશેષ રુપે કેપિટલ વધારવા માગતી સાર્વજનિક ક્ષેત્રની બેંકો મોટી હોમ લોન વધારવા માટે ઉત્સુક હશે, કારણ કે નાના કદના લોનની તુલનામાં તેમની સેવા કિંમત ઓછી હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો