એપશહેર

NPAને અટકાવવામાં RBI નિષ્ફળ: ઊર્જિત પટેલ

I am Gujarat 5 Jul 2019, 2:14 pm
70083308 કોલકાતા:RBIના ભૂતપૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે ભારતીય બેન્કોની મૂડીની સ્થિતિ અંગે ચેતવણી આપી છે. તેમણે ચોખ્ખી બેડ લોનના ઊંચા પ્રમાણને જોખમી ગણાવ્યું છે. ઊર્જિતે બેડલોનના દૂષણને અટકાવવા માટે ઝડપી પગલાં નહીં લઈ શકવાની નિષ્ફળતા અને ઢીલી નીતિ માટે RBIને પણ દોષિત ઠેરવી છે.
I am Gujarat npa rbi 3
NPAને અટકાવવામાં RBI નિષ્ફળ: ઊર્જિત પટેલ


ઉલ્લેખનીય છે કે, ઊર્જિત ડિસેમ્બર 2018 સુધી RBI ગવર્નર હતા. ગયા મહિને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી ખાતે 19મી વાર્ષિક કોન્ફરન્સ ઓન ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીમાં
બોલતા ઊર્જિતે જણાવ્યું હતું કે, “PSU બેન્કો બજારહિસ્સો ગુમાવી રહી છે. એટલે સરકાર કે LIC દ્વારા તેમને સમયાંતરે બેઇલઆઉટ જરૂરી બનશે. સિસ્ટમની એકંદર

કાર્યક્ષમતા માટે આ સારી બાબત છે.” PSU બેન્કોના પ્રભુત્વને કારણે ભારતના બેન્કિંગ સેક્ટર સામે પડકાર રહેશે. કારણ કે આ બેન્કો સ્વતંત્ર નિયમનને અટકાવે છે અને રાજકોષીય શિસ્તને પડકારજનક બનાવે છે.

ડિસેમ્બરમાં RBI ગવર્નર તરીકે અણધારી એક્ઝિટ પછી પહેલી જાહેર સ્પીચમાં ઊર્જિતે જણાવ્યું હતું કે, “બેન્કો અને નિયમનકર્તા બંનેએ રિસ્ક મેનેજમેન્ટ પ્રક્રિયાની અવગણના કરી હતી. ઉપરાંત, 2014 પહેલાંની સરકારોએ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા બેન્કોને પ્રોત્સાહિત કરી હતી. ડો. પટેલે જણાવ્યું હતું કે, “સરકારની રાજકોષીય સ્થિતિને કારણે

બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર માટે ઊંચા જોખમનો અંદાજ ચાલુ રહેશે. બજારની ધારણા પ્રમાણે રાજકોષીય સ્થિતિની મર્યાદાને કારણે સરકાર બેન્કોમાં મૂડી ઠાલવવામાં થોડી પાછળ રહી છે.”

નવી સરકાર પહેલું બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે ત્યારે પટેલના વિચારો જાહેરમાં આવ્યા છે. બજેટમાં PSU બેન્કોને વધુ મૂડી મળવાનો અંદાજ છે. અગાઉ સરકારે આ
બેન્કોમાં ₹2 લાખ કરોડ ઠાલવ્યા છે. સરકાર આ મૂડીકરણને કાર્યક્ષમતા બનાવવા વધુ કેટલાક સુધારા જાહેર કરે તેવી શક્યતા છે. ગયા વર્ષે સરકારે બેન્ક ઓફ બરોડા સાથે દેના અને વિજયા બેન્કનું મર્જર કર્યું હતું. ઊર્જિત પટેલે જણાવ્યું હતું કે, “PSU બેન્કોની બેડ લોનને ઓળખી તેને સુધારવામાં RBI નિષ્ફળ રહી હતી. ઉપરાંત, તે ઝડપી રિકવરી અને નુકસાનમાં ઘટાડો થાય એ માટે તે રિસ્ટ્રક્ચરિંગ કરી શકી ન હતી કે તાત્કાલિક પગલાં પણ લઈ શકી ન હતી.”

બેડ લોન એકાઉન્ટ્સને કારણે થયેલા મૂડીધોવાણની રિકવરી માટે ભારતીય બેન્કોમાં સરકાર દ્વારા નિયમિત રીતે મૂડી ઠાલવવી જરૂરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં PSU બેન્કોની NPA 7.6 ટકા હતી. જેની તુલનામાં ખાનગી બેન્કોની NPA 1.7 ટકા હતી. RBIએ 2014થી બેન્કોને છૂપી બેડ લોન અલગ તારવવા અને બેન્કરપ્સીના કાયદાની મદદથી કોર્પોરેટ ડેટની સમસ્યા ઉકેલવા ફરજ પાડી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અગ્રણી અર્થતંત્રોમાં NPAની સમસ્યા ભારતમાં સૌથી વધુ છે. તેને લીધે ફાઇનાન્શિયલ સેક્ટરની સ્થિતિ ખરાબ થઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો