એપશહેર

SEBIએ HPACના સભ્યોમાં ફેરફાર કરવો પડશે

I am Gujarat 31 Jul 2017, 9:00 am
રીના ઝકરિયા
I am Gujarat nse case sebi may recast panel after two members raise conflict on interest issue
SEBIએ HPACના સભ્યોમાં ફેરફાર કરવો પડશે


મુંબઈ:સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ કન્સેન્ટ ઓર્ડર્સ અંગે તેની હાઈ પાવર્ડ એડ્વાઇઝરી કમિટી (HPAC)ના સભ્યો પર નવેસરથી વિચારણા કરવી પડે તેમ છે. એનએસઇમાં કો-લોકેશન અને કથિત પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટના કેસમાં તેના બે સભ્યોનાં હિતની ટક્કર થાય છે.આ બે સભ્યોમાં વકીલ ધર્મિષ્ઠા એન રાવલ અને ડેલોઇટ હાસ્કિન્સ એન્ડ સેલ્સ એલએલપીના ચેરમેન પી આર રમેશ છે.

રાવલે ઇટીને જણાવ્યું કે, હું સેબીને વિનંતી કરીશ કે મને આ કેસથી દૂર રાખવામાં આવે.રમેશ આ વિશે ટિપ્પણી કરવા માંગતા ન હતા. સેબીને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ મળ્યો ન હતો. સેબીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાવલ હાલમાં એનએસઇના બોર્ડ પર છે. ડેલોઇટે ગેરકાયદે એક્સેસના આરોપોની તપાસના ભાગરૂપે એનએસઇનું અલ્ગોરિધમ ટ્રેડિંગ સિસ્ટમનું ફોરેન્સિક ઓડિટ કર્યું હતું.

એનએસઇએ 20 જુલાઈએ જણાવ્યું હતું કે તેણે કન્સેન્ટ મિકેનિઝમથી આ બાબત સેટલ કરવા માટે સેબી સમક્ષ અરજી દાખલ કરી છે. એનએસઇએ કેટલાક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડર્સ અને બ્રોકર્સને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પ્રેફરેન્શિયલ એક્સેસ આપ્યું હતું તેવા આરોપોની નિયમનકાર તપાસ કરે છે.

HPACમાં હાઈ કોર્ટના નિવૃત્ત જજ અને ત્રણ બાહ્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે જેઓ સિક્યોરિટી માર્કેટનો અનુભવ ધરાવતા હોય. હાલની પેનલમાં બોમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત જજ વિજય સી દાગા, આરબીઆઇના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર આનંદ સિંહા, રાવલ અને રમેશનો સમાવેશ થાય છે.

હિલચાલથી વાકેફ એક વ્યક્તિએ કહ્યું કે કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં સેબીએ દરેક બાબતની તપાસ કરવી પડશે અને તેનો ઉકેલ કઈ રીતે લાવવો તે શોધવું પડશે.
વકીલોએ કહ્યું કે સેબીને કોઈ પણ કન્સેન્ટ ઓર્ડર પર નિર્ણય લેવા માટે ત્રણના કોરમની જરૂર પડે છે. તેના કારણે એક સમસ્યા થાય છે. કમિટીમાં ત્રણથી ઓછા લોકો હોય તો કમિટી કાનૂની રીતે કેસમાં નિર્ણય નહીં લઈ શકે. તેમ ફિન્સેક લો એડ્વાઇઝર્સના સ્થાપક સંદીપ પારેખે જણાવ્યું હતું.

તેમણે કહ્યું, ખાસ કેસ માટે કોરમ રચવા નવા સભ્યોને આમંત્રણ આપીને ન્યાયતંત્રની જેમ વૈકલ્પિક બેન્ચ રચવી કે નહીં તે અંગે સેબીએ નિર્ણય લેવાનો છે.

સેબીના કન્સેન્ટ મિકેનિઝમની રચના 2007માં કરવામાં આવી હતી અને તે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનના સેટલમેન્ટ સિસ્ટમ પર આધારિત છે. તેમાં એવા કેસનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે છે જે લાંબા સમયથી ચાલતા કેસમાં ફસાઈ ગયા હોય. તે નિયમનકાર અને એન્ટિટી વચ્ચે વાટાઘાટનું પ્લેટફોર્મ છે જેમાં અપરાધનો સ્વીકાર કરે ઇનકાર હોતો નથી. કન્સેન્ટમાં પાર્ટી સેટલમેન્ટ ચૂકવે છે અને અમુક કેસમાં સેબીના સૂચન બાદ સ્વૈચ્છિક રીતે ચોક્કસ નિયંત્રણો સ્વીકારવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો