એપશહેર

ટૂથપેસ્ટની ભ્રામક જાહેરાતને કારણે પતંજલિ સંકટમાં

I am Gujarat 5 Jul 2016, 4:30 pm
જૉન સરકાર, નવી દિલ્હી: લગભગ એક મહિના પહેલાં જ હેર ઑઈલ અને વૉશિંગ પાવડરની ભ્રામક જાહેરાતોને કારણે વિવાદોમાં સપડાયેલી બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ફરી એક વાર મુશ્કેલીમાં છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઈંડિયા(ASCI)એ પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ ‘દંતકાંતિ’ની જાહેરાતને ભ્રામક કહી છે. દંતકાંતિ પતંજલિ આયુર્વેદની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ્સમાંની એક છે. ASCIએ પતંજલિના સરસવનું તેલ, ફ્રુટ જ્યુસ અને પશુઓના ચારાની જાહેરાતોને પણ ખોટી ઠેરવી છે.
I am Gujarat patanjali under lens for misleading advertising
ટૂથપેસ્ટની ભ્રામક જાહેરાતને કારણે પતંજલિ સંકટમાં


ASCIએ દંતકાંતિની જાહેરાતો માટે કહ્યું હતું કે, આ જાહેરાતમાં પાયેરિયાની સમસ્યા, પેઢાંમાં સોજો અને બ્લીડિંગ, દાંતની પીળાશના નિવારણમાં અસરકારક જણાવ્યું હતું. આ સિવાય દાવો કરવામાં આવે છે કે લાંબા સમય સુધી દાંતની સુરક્ષા કરે છે અને કીટાણુઓથી બચાવે છે. પતંજલિનો આ દાવો ભ્રામક છે.

જો કે, પતંજલિ એક માત્ર કંપની નથી જેની જાહેરાતો પર ASCIએ સવાલ ઉઠાવ્યા છે. પતંજલિ સિવાય હિંદુસ્તાન યૂનિલીવર, કેલૉગ ઈન્ડિયા,પી એન્ડ જી, લૉરિઅલ ઈંડિયા અને કોલગેટની જાહેરાતોને પણ ભ્રામક કહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો