એપશહેર

દિવાળી પહેલા Paytm યુઝર્સને ઝટકો, પેટીએમના આ નિર્ણયથી ગ્રાહકોને મોટું નુકસાન થઈ શકે

Yogesh Gajjar | I am Gujarat 11 Oct 2019, 11:12 am
જો તમે પણ પેટીએમ યુઝ કરો છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે. Paytmએ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા બચત ખાતામાં મળનારા વ્યાજને ઘટાડી દીધું છે. પેટીએમ પેમેન્ટ બેંકે સેવિંગ્સ એકાઉન્ટ પર મળનારા વ્યાજના દરને ઘટાડીને 3.5 ટકા કરી દીધો છે. પેટીએમ પેમેન્ટ બેંક તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ નિયમ 1લી નવેમ્બરથી અમલમાં આવશે. આ સાથે જ પેટીએમ પેમેન્ટ બેંકે પોતાના ગ્રાહકો માટે એફડીની પણ જાહેરાત કરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બેંકના એમડી સતીશ કુમાર ગુપ્તાએ કહ્યું કે રિઝર્વ બેંકે હાલમાં રેપો રેટને ઘટાડીને 5.15 ટકા કર્યો છે. પાછલા 12 મહિનામાં કેન્દ્રિય બેંકે રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કર્યો છે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત paytmના ગ્રાહકોને 1 રૂપિયામાં એફડી ખાતુ ખોલવાની તક આપવામાં આવે છે. પેટીએણ એફડી પર 7.5 ટકા વ્યાજ આપે છે. પેટીએમમાં કરાયેલી એફડી આંશિક અથવા સંપૂર્ણ રીતે કોઈપણ ચાર્જ વિના કાઢી શકો છો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દેશમાં સૌથી મોટી બેંક એસબીઆઈએ સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ પર મળનારા વ્યાજમાં ઘટાડો કર્યો હતો. એસબીઆઈ સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનારા ગ્રાહતોને 3.25 ટકા વ્યાજ આપશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો