એપશહેર

PNBમાં પાંચ ટ્રાન્ઝેક્શન પછી ATMનો ચાર્જ ભરવો પડશે

I am Gujarat 11 Sep 2017, 12:19 pm
નવી દિલ્હી:આગામી ઓક્ટોબરથી PNBના ગ્રાહકોએ પાંચ કરતાં વધારે એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે. હાલમાં દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કના ખાતાધારકોએ એક મહિનામાં નાણાકીય કે બિન-નાણાકીય એમ ગમે તેટલાં એટીએમ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ભરવો પડતો નથી.
I am Gujarat pnb atm
PNBમાં પાંચ ટ્રાન્ઝેક્શન પછી ATMનો ચાર્જ ભરવો પડશે


પીએનબીએ એક નોટિસમાં પોતાના ગ્રાહકોને જણાવ્યું હતું કે, પીએનબીના ગ્રાહકો માટે પીએનબીના એટીએમ પર મફત સોદાની સંખ્યા તથા તેનાથી વધુ સોદા પર લાગુ પડતાં ચાર્જિસને સુધારવામાં આવ્યા છે. નવા ચાર્જ આગામી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે.

બેન્કે જણાવ્યું હતું કે, એક મહિનામાં પાંચ સોદાની મર્યાદા બાદ બચત ફંડ, ચાલુ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ધારકો એમ તમામને દરેક સોદા પર રૂ.10નો ચાર્જ લાગુ થશે, પીએનબીના ગ્રાહકો ફક્ત પીએનબીના એટીએમનો ઉપયોગ કરશે તો પણ આ ચાર્જ લાગુ થશે. તેથી મફત મર્યાદા પછીને દરેક સોદા પર ગ્રાહકોને ચાર્જ લાગુ થશે જેમાં એટીએમમાંથી રોકડ ઉપાડવા તથા મીની-સ્ટેટમેન્ટ માટે નોન-ફાઇનાન્શિયલ સોદાનો પણ સમાવેશ થાય છે.

જોકે, પીએનબીએ જણાવ્યું હતું કે, બેલેન્સ ઇન્કવાયરી, ફંડ ટ્રાન્સફર અથવા ગ્રીન પીન રિક્વેસ્ટ જેવા અન્ય નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય. ઓગસ્ટ 2014માં રિઝર્વ બેન્કે મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને વ્યવહારુ બનાવી હતી. પોતાની બેન્કના એટીએમ ટ્રાન્ઝેક્શનમાં આરબીઆઇએ બેન્કોને ઓછામાં ઓછા પાંચ માસિક મફત સોદાની છૂટ આપવા ભલામણ કરી હતી. તે મર્યાદા પછી બેન્કો તેમના બોર્ડની મંજૂરી અનુસારના ચાર્જિસ લાગુ કરી શકે છે તેમ આરબીઆઇએ જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો