એપશહેર

PNBનો Q2 નફો સાધારણ વધીને ₹561 કરોડ

I am Gujarat 3 Nov 2017, 4:00 pm
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પંજાબ નેશનલ બેન્કે ₹561 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે, એક વર્ષ અગાઉના સમાનગાળાના ચોખ્ખા નફાની સરખામણીમાં 2.2 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
I am Gujarat pnb q2 profit marginally up at rs 561 cr
PNBનો Q2 નફો સાધારણ વધીને ₹561 કરોડ


એક વર્ષ અગાઉના સમાનગાળામાં આ રાષ્ટ્રીયકૃત બેન્કે ₹549 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 2017-18ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક વધીને ₹14,205.31 કરોડ નોંધાઈ છે જે, એક વર્ષ અગાઉના સમાનગાળામાં ₹13,638.64 કરોડ હતો.

સમીક્ષા હેઠળના સમયગાળામાં બેન્કનો કાર્યકારી નફો 20 ટકા વધીને ₹3,279 કરોડ થયો છે જે, એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન માત્ર ₹2,732 કરોડ હતો.

બેન્કની કુલ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) બેન્કના કુલ ધિરાણના 13.31 ટકા અને ચોખ્ખી નોન પર્ફોર્મિંગ એસેટ્સ ધિરાણના 8.44 ટકા નોંધાઈ છે.

આજે કંપનીનું બીજા ક્વાર્ટરનું નાણાકીય પરિણામ જાહેર થયા બાદ BSE પર કંપનીના શેરનું 1.88 ટકાના ઉછાળા સાથે ₹201ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો