એપશહેર

આજે RBIનો રેટ કટ લગભગ નિશ્ચિત

I am Gujarat 4 Oct 2019, 12:09 pm
71433670મુંબઈ:RBI શુક્રવારે વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. એવું થશે તો આ સતત પાંચમો રેટ કટ હશે. ફુગાવો અંકુશમાં છે અને અર્થતંત્રને વેગ આપવાની ખાસ જરૂર છે ત્યારે RBI માટે વ્યાજદરમાં ઘટાડો કરવો જરૂરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સંકેત આપી દીધો છે કે, નીચા ફુગાવાને કારણે ધિરાણ નીતિમાં વ્યાજદર ઘટાડવાનો અવકાશ છે.
I am Gujarat rbi 95
આજે RBIનો રેટ કટ લગભગ નિશ્ચિત


છ સભ્યની મોનેટરી પોલિસી કમિટી ત્રણ દિવસની મીટિંગ પછી શુક્રવારે વ્યાજદર અંગેનો નિર્ણય જાહેર કરવાની છે. ઉલ્લેખનીય છે કે, RBIએ ચાલુ વર્ષે રેપો રેટમાં સતત ચાર વખત કુલ 1.10 ટકા ઘટાડો કર્યો હતો. ઓગસ્ટમાં MPCની અગાઉની બેઠકમાં રેપો રેટ અસાધારણ તરીકે 0.35 ટકા ઘટાડી 5.4 ટકા કરવામાં આવ્યો હતો.

RBIએ ગ્રાહકોને વ્યાજદરમાં ઘટાડાનો ઝડપી લાભ આપી શકાય એ માટે પહેલી ઓક્ટોબરથી બેન્કોને લોન પ્રોડક્ટ્સ રેપો રેટ સહિતના એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરવા જણાવ્યું છે. ત્યાર પછી MPCની આ પહેલી બેઠક છે. MPCની બેઠક પહેલાં દાસની આગેવાની હેઠળની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની પેટા સમિતિએ હાલની મેક્રોઇકોનોમિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો