એપશહેર

RBIએ ICICI બેન્કને ₹59 કરોડનો દંડ ફટકાર્યો

I am Gujarat 30 Mar 2018, 9:21 am
મુંબઈ:નિયમનકારી આદેશનો ભંગ કરીને ચોક્કસ ડેટ સિક્યોરિટીઝના વેચાણ બદલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની સૌથી મોટી ખાનગી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્કને દંડ કર્યો હતો. આરબીઆઇએ ICICI બેન્કને ₹58.9 કરોડનો દંડ ચૂકવવા માટે આદેશ કર્યો હતો.
I am Gujarat rbi fines icici 59cr for sale of long term government bonds
RBIએ ICICI બેન્કને ₹59 કરોડનો દંડ ફટકાર્યો


રિઝર્વ બેન્કે ગુરુવારે એક યાદીમાં જણાવ્યું હતું કે, તેના એચટીએમ પોર્ટફોલિયોમાંથી સિક્યોરિટીઝના સીધા વેચાણ તથા આના સંદર્ભમાં ચોક્કસ ડિસ્ક્લોઝર અંગે આરબીઆઇ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા આદેશના અનાદર બદલ આરબીઆઇ દ્વારા 26 માર્ચ 2018ના એક આદેશ મારફત આઇસીઆઇસીઆઇ બેન્કને ₹58.9 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પગલું નિયમનકારી પૂર્તતામાં ખામી પર આધારિત છે. બેન્કો એચટીએમ અથવા ‘હોલ્ડ ટુ મેચ્યોરિટી’ સહિતની વિવિધ કેટેગરીના બોન્ડ હોલ્ડ કરતી હોય છે, વેચાણ માટે ઉપલબ્ધ હેલ્ડ ફોર ટ્રેડિંગ (એચએફટી) હોય છે.

એચટીએમ સિક્યોરિટીઝ ટ્રેડિંગ કરવા માટે નથી હોતી. પરંતુ કોઈ અગાઉથી મંજૂરી લીધા સિવાય એચટીએમ સિક્યોરિટીઝનો વધુમાં વધુ પાંચ ટકા હિસ્સો વેચી શકે છે. જો બેન્ક આ મંજૂરીપાત્ર મર્યાદા કરતાં વધારે સિક્યોરિટીઝ વેચે તો તેણે આરબીઆઇ પાસેથી તેની મંજૂરી મેળવવી પડે અને તેની જાહેરાત વાર્ષિક અહેવાલમાં પણ કરવી પડે.

મુંબઈ સ્થિત એક મધ્યમ કદના ટ્રેઝરીના વડાએ જણાવ્યું હતું કે, બેન્કોમાં આ સર્વસામાન્ય પ્રથા છે કેમ કે તેઓ પાંચ ટકા કરતાં વધારે વેચાણ કરે અને તેની જાહેરાત વાર્ષિક બેલેન્સ શીટમાં કરી દે છે. દંડની રકમ આવી કેટેગરીમાં સૌથી ઊંચી હોઈ શકે છે.

આરબીઆઇએ નિયમનકારી આદેશો-માર્ગરેખાના પાલનમાં બેન્કની નિષ્ફળતાને ટાંકીને દંડ ફટકાર્યો હતો. પાછળથી આઇસીઆઇસીઆઇ બેન્કે આ બાબતે સ્પષ્ટતા કરીને નિયમનકારી પૂર્તતા કરવાની ખાતરી ઉચ્ચારી હતી. બેન્કે જણાવ્યું હતું કે, આ બાબતે આરબીઆઇના આદેશોને લાગુ કરવાના સમયના મામલે ગેરસમજના કારણે આઇસીઆઇસીઆઇ બેન્ક 31 માર્ચ 2017ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન કેટલાંક સપ્તાહ માટે એચટીએમ કેટેગરીમાંથી વેચાણ જાળવી રાખ્યું હતું.

બેન્કે નાણાકીય વર્ષ 2017 માટેના વાર્ષિક અહેવાલમાં જાહેરાત કરી હતી કે તેણે એચટીએમ તરીકેની કેટેગરીમાંથી પાંચ ટકા કરતાં વધારે શેર્સનું વેચાણ કર્યું છે. બેન્કે તે સમયે કોઈ ખાસ ડિસ્ક્લોઝર કર્યું ન હતું. આઇસીઆઇસીઆઇ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે 30 જૂન 2017માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાથી આરબીઆઇ દ્વારા કરવામાં આવેલા આદેશ પ્રમાણે ઓડિટેડ ફાઇનાન્શિયલ રિઝલ્ટ્સમાં તેને લગતા ડિસક્લોઝ કર્યા છે.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો