નવી દિલ્હી: RBIના ત્રિમાસિક રિપોર્ટમાં લોકો પર નોટબંધીની વ્યાપક અસર થયું હોવાનું બહાર આવ્યું છે. ‘હાઉસહોલ્ડ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ લાયબલિટીઝ’ના નામે બહાર પડાયેલા આ રિપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ની જૂની નોટો પાછી ખેંચવાના નિર્ણયનો સ્પષ્ટ પ્રભાવ દેખાયો છે.
3 મહિનામાં જ થયો આટલો મોટો ઘટાડો
આરબીઆઈના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર 2016માં ગ્રોસ ફાઈનાન્શિયલ એસેટ્સ (સકળ નાણાંકીય સંપત્તિઓ)નું કુલ મૂલ્ય 141 ટ્રિલિયન રૂપિયા હતું. ડિસેમ્બર 2016 સુધીમાં તેમાં તેમાં ચાર ટ્રિલિયન (4 ખર્વ) રૂપિયાનો ઘટાડો થયો અને આ આંકડો 137 ટ્રિલિયન સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 8 નવેમ્બર 2016એ નોટબંધીની જાહેરાત કરી હતી.
ફાયનાન્શિયલ એસેટ્સ એટલે શું?
હાઉસહોલ્ડ ફાયનાન્શિયલ એસેટ્સ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટમાં પણ છ ટકાનો ઘટાડો નોંધાયો. વર્ષ 2017ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ આ આંકડો સપ્ટેમ્બર 2016ની સરખામણીએ ઘણો ઓછો જ છે. જોકે, નોટબંધી બાદ ભારતીય લોકોમાં બચતને બદલે રોકાણની પ્રવૃત્તિ વધી હોવાનું જણાયું છે. આરબીઆઈના રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ભારતીય લોકો સામાન્ય રીતે બચત કરનારા અને અર્થવ્યવસ્થામાં નાણાંકીય રિસોર્સના સપ્લાયર્સ તરીકે ઓળખાય છે. જોકે, વર્ષ 2016-17ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નેટ ફાયનાન્શિયલ એસેટ્સમાં નકારાત્મક ફેરફાર દેખાયો છે, જે નોટબંધીના પ્રભાવને દર્શાવે છે.’ ઉલ્લેખનીય છે કે, ફાયનાન્શિયલ એસેટ્સ અંતર્ગત બેંક ડિપોઝિટ, બોન્ડ્સ, ઈન્સ્યોરન્સ એસેટ્સ અને સ્ટોક્સ વગેરે આવે છે. અન્ય એસેટ્સની સરખામણીમાં ફાયનાન્શિયલ એસેટ્સ વધુ લિક્વિડ હોય છે.
ફાયનાન્શિયલ એસેટ્સનું સ્વરૂપ પણ બદલાયું
નોટબંધી બાદ હાઉસહોલ્ડના ફાયનાન્શિયલ એસેટ્સના સ્વરૂપમાં પણ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2017માં જીડીપી (સકળ ઘરેલુ ઉત્પાદન)ની સરખામણીમાં કરન્સી હોલ્ડિંગ્સમાં પણ ઘટાડો નોંધાયો છે. નોટંબધી પહેલા તે 10.6 ટકા હતો, તો નોટબંધી બાદ આ આંકડો 8.7 ટકા સુધી પહોંચી ગયો. તેનો અર્થ એ થયો કે, લોકોની પાસે ખર્ચ કરવા માટે પહેલાની સરખામણીમાં રૂપિયા ઓછા થઈ ગયા.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું
જોકે, નોટબંધી બાદ હાઉસહોલ્ડમાં બેંકમાં રૂપિયા રાખવાને બદલે રોકાણ કરવાની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. નોટબંધી પહેલા 10.6 ટકા (જીડીપીની સરખામણીમાં) હાઉસહોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હતા. સપ્ટેમ્બર 2017માં આ આંકડો 12.5 ટકા સુધી પહોંચી ગયો. કરન્સી હોલ્ડિંગમાં ઘટાડાની અસર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તરીકે સામે આવી. લોકો કરન્સી હોલ્ડિંગનો ઉપયોગ ફાયનાન્શિયલ માર્કેટમાં કરવા લાગ્યા. તે ઉપરાંત લોકોની ડિસ્પોઝેલ ઈન્કમ (ખર્ચ કરવા યોગ્ય આવક)માં પણ ઘટાડો નોંધાયો. તેની સીધી અસર બજાર પર જોવા મળી. બીજી તરફ, સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસ તરફથી બહાર પડાયેલા આંકડા મુજબ, ઘેરલુ બચતમાં લગભગ ચાર ટકાનો ઘટાડો આવ્યો છે.
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.