એપશહેર

ઇન્ટરકનેક્શનના મુદ્દે રિલાયન્સ જિયો, એરટેલમાં શાબ્દિક યુદ્ધ યથાવત્

I am Gujarat 18 Sep 2016, 6:33 pm
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ ઇન્ટરકનેક્શનના મુદ્દે ભારતી એરટેલ પર ફરી નિશાન સાધતાં કહ્યું છે કે, બંને કંપનીઓનાં નેટવર્ક વચ્ચે રોજ બે કરોડ કોલ ફેલ જઈ રહ્યા છે. એટલે કે કોલ કરનારાઓને નંબર મળતો નથી અથવા નેટવર્ક વ્યસ્ત આવે છે. બીજી તરફ એરટેલે આરોપોનું ખંડન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એરટેલે આ મહિને પોતાની 4G સર્વિસ શરૂ કરી છે.
I am Gujarat reliance airtel continues to spar over interconnect ports
ઇન્ટરકનેક્શનના મુદ્દે રિલાયન્સ જિયો, એરટેલમાં શાબ્દિક યુદ્ધ યથાવત્


રિલાયન્સ જિયો શરૂઆતથી જ એરટેલ પર આરોપ મૂકતી આવી છે કે, તે માર્કેટમાં પોતાની મજબૂત સ્થિતનો દુરુપયોગ કરી ‘બિનહરીફ વ્યવહાર’ કરી રહી છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘એવું લાગી રહ્યું છે કે, એરટેલે માર્કેટમાં પોતાની મજબૂત સ્થિતનો દુરુપયોગ ચાલુ જ રાખ્યો છે. આ પ્રકારના વ્યવહારનું નુકસાન ભારતીય ગ્રાહકોને થશે, જેઓ (રિલાયન્સ જિયો)ની સારી અને મફત સેવાઓનો ફાયદો ઉઠાવી નહિ શકે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે, રિલાયન્સ જિયો અને વધુ પોઇન્ટ ઓફ ઇન્ટરકનેક્શન (POI) ઉપલબ્ધ કરવાની દિશામાં કામ કરશે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારતી એરટેલના નિવેદનનું સ્વાગત કર્યું છે, પરંતુ આ સાથે કહ્યું છે કે, ‘એરટેલે જેટલા POIના પ્રસ્તાવ મૂક્યા છે, તે ખૂબ ઓછા છે.’

કંપનીએ કહ્યું છે કે, ‘બંને કંપનીઓનાં નેટવર્ક વચ્ચે દરરોજ બે કરોડથી વધુ કોલ ફેલ થઈ રહ્યા છે, જે સેવાઓની ગુણવત્તાના માપદંડો માટે સારી બાબત નથી.’ જ્યારે ભારતી એરટેલે આ આરોપોને રદિયો આપ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો