એપશહેર

Q1 પરિણામ બાદ રિલાયન્સ કેપિટલના શેરમાં 8%નો ઉછાળો

I am Gujarat 28 Jul 2017, 1:21 pm
નવી દિલ્હી: રિલાયન્સ કેપિટલે 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 15 ટકાનો ઉછાળો નોંધાવ્યો હોવાને પગલે શેરબજારમાં કંપનીના શેરમાં 8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
I am Gujarat reliance capital shares jump 8 post q1 results
Q1 પરિણામ બાદ રિલાયન્સ કેપિટલના શેરમાં 8%નો ઉછાળો


BSE પર કંપનીના શેર આજે 7.86 ટકા ઉછળીને રૂ.712ની 52 સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે NSE પર કંપનીના શેરનું 7.94 ટકાની વૃદ્ધિ સાથે રૂ.711.90ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ કેપિટલનો ચોખ્ખો નફો 15 ટકા વધીને રૂ.238 કરોડ નોંધાયો હતો. એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન તે રૂ.207 કરોડ હતો.

જૂન, 2017ના ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ.4,857 કરોડ થઈ હતી જે, એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન રૂ.3,663 કરોડ હતી, તેમ કંપનીએ ગઈકાલે તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

30 જૂન, 2017 સુધીમાં કંપનીની નેટવર્થ 7 ટકાની વૃદ્ધિ સાથે રૂ.16,777 કરોડ નોંધાઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો