નવી દિલ્હીઃ દેશનું સૌથી મોટું ટેલિકોમ મર્જર કરતા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલે મોબાઇલ ફોન સર્વિસીસમાં સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીની કુલ એસેટ લગભગ 65 હજાર કરોડ રૂપિયા છે. હાલમાં જ અનિલ અંબાણીના મોટા ભાઈ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જિયોનું લોન્ચિંગ કર્યું હતું. જોકે આરકોમ અને એરસેલની આ જાહેરાત બાદ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી મોટી ડીલ છે. આ ડીલ પર ઘણા મહિનાઓથી બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.
એરસેલ સર્વિસીસ સાથે મર્જર બાદ બનનારી કંપની દેશની સૌથી મોટી ત્રીજી સેલ્યુલર કંપની બની જશે. બંને કંપનીઓ તરફથી બુધવારે પ્રસિદ્ધ કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલની પેરેન્ટ કંપની મલેશિયાની મેક્સિસ પાસે બિઝનેસની અડધી-અડધી હિસ્સેદારી હશે. એટલું જ નહિ, આ કંપનીના બોર્ડ અને કમિટીમાં એરસેલ અને રિલાયન્સની સરખી ભાગીદાર હશે.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ તરફથી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, આ ડીલ બાદ કંપનીના ઋણમાં 20 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થશે. આ રકમ તેની પર કુલ ઋણના 40 ટકાથી વધુ છે. આ સિવાય એરસેલના ઋણમાં પણ 4 હજાર કરોડનો ઘટાડો થશે. બંને કંપનીઓ ઇન્ટરનેશનલ પ્લેયર્સ સાથે પણ રોકાણ અંગે વાતચીત કરી રહી છે.
આ ડીલ બાદ નવી કંપની પાસે 22 સર્કલ હશે. આથી તે સ્પેક્ટ્રમ મામલે દેશની સૌથી મોટી બીજી કંપની હશે. કંપની પાસે 448, 850, 900, 1800 અને 2100 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમ હશે. તેની વેલિડિટી 2033-35 સુધીની છે.
યુઝર્સની સંખ્યામાં ત્રીજા ક્રમે હશે કંપની
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ 9.87 કરોડ યુઝર્સ સાથે ચોથું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર છે. જ્યારે એરસેલના 8.8 કરોડ યુઝર્સ છે અને તે દેશનું આઠમું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર છે. આ બંને મર્જ થતા બનનારી નવી કંપની દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની હશે. ભારતમાં ભારતી એરટેલના યુઝર્સ સૌથી વધુ છે. ત્યાર બાદ વોડાફોન બીજા ક્રમે છે.
એરસેલ સર્વિસીસ સાથે મર્જર બાદ બનનારી કંપની દેશની સૌથી મોટી ત્રીજી સેલ્યુલર કંપની બની જશે. બંને કંપનીઓ તરફથી બુધવારે પ્રસિદ્ધ કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલની પેરેન્ટ કંપની મલેશિયાની મેક્સિસ પાસે બિઝનેસની અડધી-અડધી હિસ્સેદારી હશે. એટલું જ નહિ, આ કંપનીના બોર્ડ અને કમિટીમાં એરસેલ અને રિલાયન્સની સરખી ભાગીદાર હશે.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ તરફથી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, આ ડીલ બાદ કંપનીના ઋણમાં 20 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થશે. આ રકમ તેની પર કુલ ઋણના 40 ટકાથી વધુ છે. આ સિવાય એરસેલના ઋણમાં પણ 4 હજાર કરોડનો ઘટાડો થશે. બંને કંપનીઓ ઇન્ટરનેશનલ પ્લેયર્સ સાથે પણ રોકાણ અંગે વાતચીત કરી રહી છે.
આ ડીલ બાદ નવી કંપની પાસે 22 સર્કલ હશે. આથી તે સ્પેક્ટ્રમ મામલે દેશની સૌથી મોટી બીજી કંપની હશે. કંપની પાસે 448, 850, 900, 1800 અને 2100 મેગાહર્ટ્ઝ બેન્ડના સ્પેક્ટ્રમ હશે. તેની વેલિડિટી 2033-35 સુધીની છે.
યુઝર્સની સંખ્યામાં ત્રીજા ક્રમે હશે કંપની
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ 9.87 કરોડ યુઝર્સ સાથે ચોથું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર છે. જ્યારે એરસેલના 8.8 કરોડ યુઝર્સ છે અને તે દેશનું આઠમું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર છે. આ બંને મર્જ થતા બનનારી નવી કંપની દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની હશે. ભારતમાં ભારતી એરટેલના યુઝર્સ સૌથી વધુ છે. ત્યાર બાદ વોડાફોન બીજા ક્રમે છે.