એપશહેર

ખેડૂત આંદોલનની આડમાં Airtel અને VI ખોટા પ્રચાર કરી રહ્યું હોવાનો JIOનો આક્ષેપ

Reliance Jioનો આરોપ છે કે Voda-Idea અને Airtel પંજાબના ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે, TRAIને પત્ર લખીને કરાઈ ફરિયાદ

I am Gujarat 14 Dec 2020, 9:10 pm
નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) વોડા-આઇડિયા (Voda-Idea)અને એરટેલ (Airtel)ને ફરિયાદ કરતા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. રિલાયન્સ જિયોનો આરોપ છે કે વોડા-આઇડિયા અને એરટેલ પંજાબના ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે. ટેલિકોમ સચિવ એસ.કે.ગુપ્તાને લખેલા પત્રમાં રિલાયન્સ જિયોએ વોડા-આઇડિયા અને એરટેલને પર આરોપ મૂકતાં કહ્યું છે કે બંને કંપનીઓએ ટ્રાઇના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
I am Gujarat 10


પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોડા-આઇડિયા અને એરટેલ ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ગ્રાહકોને આકર્ષવા અનૈતિક માર્ગ અપનાવી રહ્યા છે. આ કંપનીઓ ખેડૂત આંદોલન દ્વારા સર્જાયેલા રોષનો લાભ લેવા ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. રિલાયન્સ જિયો કહે છે કે 28 સપ્ટેમ્બરના રોજ તેણે ટ્રાઇને બીજો પત્ર લખીને વાંધો નોંધાવ્યો હતો, તેમ છતાં, આ બંને કંપનીઓ કાયદા ન માનતા પોતાની નેગેટિવ પબ્લિસિટી જાળવી રહી છે.

રિલાયન્સ જિયોનો આરોપ છે કે આ બંને હરીફ કંપનીઓ તેમના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલરો દ્વારા રિલાયન્સ સામે નેગેટિવ કેમ્પેઈન ચલાવી રહી છે. ગ્રાહકોને ખોટી રીતે લલચાવવીને રિલાયન્સ જિયોથી પોર્ટ કરાવવા માટેના પ્રયત્નોનો પણ જિયોએ વિરોધ કર્યો છે. એરટેલ અને વોડા-આઇડિયા ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહી છે તેના ફોટા અને વિડીયો પ્રૂફ પણ રિલાયન્સ જિયોએ સબમિટ કર્યા છે.

વોડા-આઇડિયા અને એરટેલ પોતાને ખેડૂત મૈત્રીપૂર્ણ અને રિલાયન્સ જિયોને ખેડૂત વિરોધી ગણાવીને આંદોલનને વેગ આપવાનું કામ કરી રહ્યા છે. રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો છે કે બંને કંપનીઓ દેશભરમાં જિયો વિરુદ્ધ ખોટા પ્રચારમાં લાગી છે. જેનાથી રિલાયન્સ જિયોની છબીને નુકસાન પહોંચી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો