એપશહેર

મહેસૂલ સચિવ હસમુખ અઢિયા હવે નાણા સચિવ

I am Gujarat 7 Nov 2017, 9:20 am
નવી દિલ્હી:મહેસૂલ સચિવ હસમુખ અઢિયાની નવા નાણા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અઢિયા 1981 બેચના ગુજરાત કેડરના IAS ઓફિસર છે. ગયા મહિને અશોક લવાસાનો કાર્યકાળ પૂરો થયા પછી નાણા સચિવનું સ્થાન ખાલી પડ્યું હતું.
I am Gujarat revenue secretary hasmukh adhia designated finance secretary
મહેસૂલ સચિવ હસમુખ અઢિયા હવે નાણા સચિવ


ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગે જારી કરેલા નિર્દેશમાં જણાવ્યા અનુસાર કેબિનેટની એપોઇન્ટમેન્ટ્સ કમિટીએ નાણા સચિવ તરીકે અઢિયાની નિમણૂકને મંજૂરી આપી હતી. કન્વેન્શન અનુસાર નાણામંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવની નાણાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવે છે. નાણામંત્રાલય હેઠળ પાંચ વિભાગ છે. જેમાં એક્સ્પેન્ડિચર, આર્થિક બાબતો, ફાઇનાન્શિયલ સર્વિસિસ, મહેસૂલ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)નો સમાવેશ થાય છે.

હાલ 1984 બેચના IAS ઓફિસર રાજીવ કુમાર ફાઇનાન્શિયલ સર્વિસિસ સચિવ છે. જ્યારે એક્સ્પેન્ડિચર સેક્રેટરીના હોદ્દા પર અજય નારાયણ ઝા છે. DIPAMના સેક્રેટરી નીરજ કુમાર ગુપ્તા છે. ઝા અને ગુપ્તા બંને 1982 બેચના IAS ઓફિસર્સ છે. 1983 બેચના IAS ઓફિસર સુભાષ ચંદ્ર ગર્ગ આર્થિક બાબતોના સચિવ છે. ઉલ્લેખનીય છે કે, GSTના અમલ પહેલાં અને પછી નવા કાયદાની સમજણ આપવામાં હસમુખ અઢિયાએ મહત્ત્વની ભૂમિકા હતી. ]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો