એપશહેર

જુઓ કેટલી સાદાઈથી પરણી ગયો અબજોપતિ નારાયણ મૂર્તિનો દીકરો રોહન

I am Gujarat 3 Dec 2019, 12:19 pm
ઈન્ફોસિસના સ્થાપક એન.આર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના દીકરા રોહન મૂર્તિએ સોમવારે સાદગીપૂર્ણ રીતે અપર્ણા ક્રિષ્ણન સાથે લગ્ન કરી લીધા હતા. આ કપલ કોમન ફ્રેન્ડ્સના માધ્યમથી મળ્યું હતું. તેઓ 3 વર્ષથી એકબીજાને ઓળખે છે. તેમણે ધામધૂમથી શાહી ઢબે લગ્ન કરવાને બદલે બેંગલુરુમાં પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કરવાનું પસંદ કર્યું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોલગ્ન બાદ રિસેપ્શન યોજાયું હતું. કોચીના નિવૃત્ત SBI કર્મચારી સાવિત્રી ક્રિષ્ણન અને પૂર્વ ઈન્ડિયન નેવી કમાન્ડર કે.આર ક્રિષ્ણનની દીકરી અપર્ણાએ રંગબેરંગી ફ્લોરલ એમ્બ્રોઈડરી સાથે સફેદ લહેંગો પહેર્યો હતો. તેણે માથામાં બન બનાવીને પિંક ફૂલ નાંખ્યા હતા. રોહને પણ સાદો સિલ્ક કૂર્તો અને પેન્ટ્સ પહેર્યા હતા.
73 વર્ષના IT ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણ મૂર્તિએ પણ દીકરાની જેમ જ સાદો સિલ્કનો ઝભ્ભો પહેર્યો હતો. સુધા મૂર્તિએ બ્લુ અને ગોલ્ડ ઝરી બોર્ડર વાળી બેઈજ સાડી પહેરી હતી. રિસેપ્શનમાં જાણીતા ગાયિકા બોમ્બે જયશ્રીએ પરફોર્મ કર્યું હતું.
રોહન મૂર્તિએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જનેતા ગણાતા માર્વિન મિન્સ્કી પછી ડોક્ટરેટ મેળવનાર બીજો વૈજ્ઞાનિક છે. સ્પેક્ટ્રમ પર તેમના PhDને આખી દુનિયામાં ખૂબ મહત્વનો અભ્યાસ માનવામાં આવે છે.વોટ આપવા માટે લાઈનમાં ઊભા રહ્યા નારાયણ મૂર્તિ-સુધા મૂર્તિ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો