એપશહેર

લાંબે ગાળે સંપત્તિ બનાવવી હોય તો ઈક્વિટીમાં રોકાણ સિવાય છૂટકો જ નથી

I am Gujarat 16 Sep 2018, 11:15 am
65808854 પર્સનલ ફાઇનાન્સમાં એ‌વી ઘણી પરિભાષાઓ હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી, કેટલીક વાતો એવી હોય છે કે જેનો કોઈ પણ અર્થ થાય અને કેટલીક એવી હોય છે કે જેનો અર્થ અલગ લોકો માટે અલગ અલગ હોય છે. આવી જ એક પરિભાષા લોંગ-ટર્મ છે. લોંગ ટર્મ એટલે કેટલો લાંબો ગાળો? દરેકનો જવાબ અલગ હશે. કદાચ તર્કસંગત છે. તેમ છતાં કોઈ એક ચોક્કસ સમયગાળો હોવો જોઈએ કે જ્યારે તમામ માટે લાંબા ગાળાના રોકાણની વ્યૂહરચનાનો ફાયદો સ્વાભાવિક બને.
I am Gujarat savings investment 74
લાંબે ગાળે સંપત્તિ બનાવવી હોય તો ઈક્વિટીમાં રોકાણ સિવાય છૂટકો જ નથી


કેટલાંક વર્ષ અગાઉ ફિડિલિટી ઇન્વેસ્ટમેન્ટે આ અંગે વધારે શોધ કરવા માટે અમેરિકામાં એક અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં કશુંક અસંગત શોધી કાઢ્યું હતું: મરી જવું એ કદાચ સારામાં સારી ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચના છે.

તેમણે શોધી કાઢ્યું હતું કે સૌથી વધારે વળતર એવા રોકાણકારોએ મેળવ્યું હતું જેમણે વર્ષો અને દાયકાઓ સુધી તેમણે કરેલાં રોકાણને એકદમ અવગણ્યું હતું. તેથી પણ વધારે જોઈએ તો એમાંના કેટલાક રોકાણકારો તો કોઈક તબક્કે મૃત્યુ પામ્યા હતા. તેથી તારણ એ હતું કે જ્યારે પણ તમારા રોકાણને મેનેજ કરવાની વ્યૂહરચનાની વાત હોય ત્યારે સારામાં સારી વ્યૂહરચના એ છે કે એવું જ કરો કે જેવું મૃત્યુ પામેલો માણસ કરે છે, અર્થાત્ કશું જ નહીં.

ફિડિલિટીએ મોટી સંખ્યામાં રોકાણકારોનો અભ્યાસ કર્યો હતો અને આના જેવી ઘણી કથાઓ આપણે જાણીએ છીએ. પાછલા વર્ષે કોઈક સમયે કોઈકે પણ આ કેટેગરીની સ્ટોરી અંગે સ્ટોક માર્કેટ ચેનલ પર વાત કરી હતી.

આ વ્યક્તિ કે જે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અંગે કશું પણ જાણતો હોય તેવું લાગ્યું ન હતું તેણે જણાવ્યું હતું કે, આશરે 25 વર્ષ અગાઉ તેના એક સંબંધીએ એમઆરએફના 20,000 શેર્સની ખરીદી કરી હતી. તે જાણવા માંગતો હતો કે આ શેર્સની હાલમાં સારી કિંમત મળે છે કે કેમ. જો તેનો આંકડો સાચો હોય તો પછી તે શેર્સની કિંમત આશરે ₹130 કરોડ થાય છે. કદાચ શેરની સંખ્યાનો આંકડો વધારી ચડાવીને જણાવવામાં આવ્યો હોય તો પણ તેણે ઉલ્લેખ કરેલા સમયગાળામાં તેનું મૂલ્ય આશરે 200 ગણું થયું છે.

‘લોંગ ટર્મ એટલે કેટલો સમયગાળો?’ આ સવાલ માટે પન્ટર્સ માને છે કે ત્રણથી ચાર મહિનાનો ગાળો લાંબો ગાળો છે. ઉપર જણાવેલા ઉદાહરણ જેવા લાંબા ગાળા સુધીના અનેક જવાબો છે. ભારત સરકારના મહેસૂલ ખાતા તરફથી તેનો એક સત્તાવાર જવાબ પણ છે.

તમારા કરની ગણતરી કરવા માટેના હેતુસર લિસ્ટેડ સ્ટોકમાં તથા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણને તો લાંબા ગાળાનું રોકાણ ગણવામાં આવે છે જો તેને એક વર્ષ સુધી જાળવી રાખવામાં આવે છે. અન્ય રોકાણો માટે આ મર્યાદા ત્રણ વર્ષની છે. જોકે, એક રોકાણના સંદર્ભથી જોઈએ તો તેમાં કોઈ સેન્સ જણાતી નથી. ઇક્વિટી રોકાણ માટે એક વર્ષનો સમયગાળો ઘણો જ નાનો ગાળો ગણાય.

તેના સાચા જવાબ માટે ચાલો તેના પાયા તરફ જઈએ અને ફન્ડામેન્ટલ સવાલ કરીએ: શા માટે ઇક્વિટી રોકાણ લાંબા ગાળા માટે જ કરવું જોઈએ? જવાબ સ્વાભાવિક રીતે એ છે કે અસ્થિરતાનો સામનો કરવા માટે. પાંચ વર્ષથી લઈને છ વર્ષના ગાળા દરમિયાન ઘણીવાર વળતર સારાં હોય છે પરંતુ તેમાં ભિન્નતાનું પ્રમાણ ઊંચું હોય છે.

બતાવેલા કોઈ પણ ટૂંકા ગાળા દરમિયાન તમે નબળું વળતર મેળવી શકો અને કદાચ નુકસાન પણ સહન કરવું પડે. તેની સામે જોવાનો એક અન્ય માર્ગ પણ છે. ઇક્વિટી માર્કેટ સાઇકલમાં મૂવ થાય છે તથા ઘણીવાર એક સાઇકલ પૂર્ણ કરવામાં તે પાંચ વર્ષથી લઈને સાત વર્ષનો સમયગાળો લેતું હોય છે. યોગ્ય પ્રમાણમાં વળતર મેળવવા માટે આપણે સંપૂર્ણ સાઇકલમાં રોકાણ કરવાની જરૂર છે. તે એક કે બે વર્ષમાં ન થઈ શકે.

તેની તરફ જોવા માટેનો અન્ય એક માર્ગ છે, જે એક આગવા અભ્યાસનો વિષય હતો. કેટલાંક વર્ષ અગાઉ વેલ્યૂ રિસર્ચ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અમે જાણ્યું હતું કે સરેરાશ ધોરણે જો તમે એસઆઇપી મારફત ચાર વર્ષ માટે રોકાણ કરો છો તો પછી કોઈ પણ નુકસાનનું જોખમ સામાન્ય થઈ જાય છે.

ધીરેન્દ્ર કુમાર,સીઇઓ વેલ્યૂ રિસર્ચ


]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો