એપશહેર

Yes Bankના શેર લોટરી લગાડશે કે પછી માથે પડશે? જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

ગત શુક્રવારે યસ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ જાહેર કર્યું ત્યારથી રોકાણકારો તેના શેર પર નજર રાખી રહ્યા છે.

I am Gujarat 28 Oct 2020, 5:48 pm
ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકે ગત શુક્રવારે તેની સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણી જાહેર કરી. તે સાથે જ દલાલ સ્ટ્રીટના રોકાણકારોમાં તેના શેરમાં રસ પડતો જોવા મળ્યો. બેંકની એસેટ ક્વોલિટીમાં થોડો સુધારો જોવા મળ્યો છે. બેંકે આ ક્વાર્ટરમાં રૂ. 129.37 કરોડનો નફો કર્યો છે. ગત વર્ષે આ જ ક્વાર્ટરમાં બેંકને રૂ. 600.08 કરોડની ખોટ થઈ હતી. જૂન ક્વાર્ટરમાં બેંકને રૂ. 45.44 કરોડનો નફો થયો હતો.
I am Gujarat Yes Bank


યસ બેંકનો શેર તેના અગાઉના હાઈ કરતા થોડા વધારે કિંમતે ટ્રેડ કરી રહ્યો છે, ત્યારે શેર માર્કેટમાં વધારે નફો આપતા સ્ટોકની શોધમાં રહેતા રોકાણકારો યસ બેંકના શેર પર નજર રાખીને બેઠા છે. જોકે, એક્સપર્ટસમાં આ બેંકને લઈને મતમતાંતર છે.

માર્કેટ એનાલિસ્ટ અંબરીશ બલિગાએ કહ્યું કે, 'આ શેર તેના અગાઉના હાઈ કરતા ઉપર જશે તેવી આશા રાખવી ન જોઈએ. વિસ્તરણ અને ઈક્વિટી કેપિટલમાં ઘટાડા બાદ એ સ્તરે પહોંચવું ઘણું મુશ્કેલ છે.' તેમણે કહ્યું કે, 'RBIએ લાગુ કરેલા મોરાટોરિયમમાં બેંક સર્વાઈવ કરી જાય તો તે એક રેર કેસ હશે. અગાઉની ઘટનાઓમાં આવી બેંકો ટકી શકી નથી અથવા તો મોટી બેંકોમાં ભળી ગઈ છે.'

હજુ એક વર્ષ પહેલા યસ બેંક ટકશે કે નહીં એ જ સવાલ હતો. સરકારે પ્રોફેશનલ મેનેજમેન્ટ મૂક્યું, કે જેણે બેંકને સર્વાઈવ કરવામાં મદદ કરી. એટલું જ નહીં, બેંકમાં ગ્રોથના સંકેત પણ જોવા મળ્યા.

રેલિગર બ્રોકિંગમાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડન્ટ અજિત મિશ્રાએ કહ્યું કે, 'યસ બેંકે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં સારી કમાણી દર્શાવી છે. પણ, આપણે NPAની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કેમકે કોરોના મહામારીના કારણે તે વધુ વિકટ બની શકે છે.'

એનાલિસ્ટ્સ એનપીએ, પ્રોવિઝન્સ, માર્જિન્સ અને ડિપોઝિટ્સના વધારા અને લોન બુક્સ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. બેંકની એનપીએ હાલમાં ટોટલના 16.30 ટકા છે, જે ગત ક્વાર્ટરમાં 17.30 ટકા હતી. એ જ રીતે નેટ એનપીએ 4.96થી ઘટીને 4.71 ટકા થઈ છે.

બેંકનું મેનેજમેન્ટ આવનારા ક્વાર્ટર્સમાં હજુ વધુ સુધારો થવા અંગે આશાવાદી છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રશાંત કુમારે અમારા સહયોગી ઈટીનાઉને જણાવ્યું હતું કે, કોવિડ-19 અને જૂની સમસ્યાઓ છતાં બેંકે સારો ઓપરેટિંગ પ્રોફિટ કર્યો છે. તેમણે કહ્યું કે, રિટેલ અને MSME લોન્સનો ગ્રોથ અને ડિસ્બર્સમેન્ટ ઘણું સારું રહ્યું. તેમણે કહ્યું કે, બેંક હાલમાં રિકવરીના માર્ગ પર છે અને સ્થિતિ સામાન્ય થઈ જશે.

સપ્ટેમ્બર ક્વાર્ટર અર્નિંગ્સમાં યર ઓન યર (YoY) બેસિસ પર પ્રોવિઝન્સમાં ઘટાડો થયો છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર (QoQ)માં વધારો થયો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) YoYના 9.70 ટકા એટલે કે રૂ. 1,973 કરોડ રહી.

બલિંગાનું માનવું છે કે, યસ બેંક પાછી ટ્રેક પર આવી ગઈ છે, પરંતુ સ્થિતિ નોર્મલ થવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે, 'રાતોરાત નસીબ ફરતું નથી. રોકાણકારોએ ધીરજ રાખવી પડશે અને સારા પરફોર્મન્સ માટે લાંબો સમય રોકાવું પડશે.'

રેલિગર બ્રોકિંગના મિશ્રાએ કહ્યું કે, આ શેરમાં થોડો ઉછાળો જોવા મળી શકે છે, પરંતુ તે ટકવા સામે શંકા છે. રોકાણકારોએ આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં બેંકનું પરફોર્મન્સ કેવું રહે છે તેની રાહ જોવી જોઈએ.

બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે યસ બેંકના શેરનો ભાવ 9 રૂપિયા થવાનો ટાર્ગેટ આપવાની સાથે વેચવાની સલાહ આપી છે. જ્યારે એડલવેસએ સ્ટોકને 'અંડર રિવ્યુ'માં રાખ્યો છે. આ બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, કેપિટલ રાઈઝિંગ ભૂતકાળ થઈ ગયો છે, છતાં ડિપોઝિટ અક્રેશન અને એસેટ ક્વોલિટી પર નજર રાખવી મહત્વનું પરિબળ છે. આવનારા બે-ત્રણ વર્ષમાં વિકાસ પર ફોકસ કેવું છે તે મોટો પ્રશ્ન છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો