રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને બીજી ટર્મ સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ તેમનો અનુગામી કોણ બનશે તે અંગે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ભારે ઉત્સુક્તા વ્યાપેલી છે. રાજનનું સ્થાન લઈ શકે તેવા સંભવિત લોકોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્ય, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર સુબિર ગોકર્ણ, આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસ ઉપરાંત રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલ, ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન તથા મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયમના નામ અંગે પણ અટકળો વહેતી થઈ હતી. જોકે સરકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર રિઝર્વ બેન્કના ગવર્નર પદની રેસમાં હાલમાં રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન તથા વર્તમાન ડેપ્યુટી ગવર્નર સુબિર ગોકર્ણનું નામ મોખરે છે. ડાઉ જોન્સના અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાં મંત્રી અરૂણ જેટલી સાથેની મંત્રણા બાદ આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે.
આ ઘટનાક્રમથી વાકેફ એક વરિષ્ઠ સરકારી અધિકારીના મતે સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયમાં મજબૂત સંકેતો મોકલવા માટે તથા રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની સ્વતંત્રતાની ચિંતાના ઉકેલ માટે રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે અર્થશાસ્ત્રીની નિમણૂક કરવા પ્રતિબદ્ધ છે. છેલ્લાં એક સપ્તાહના ઘટનાક્રમને ધ્યાનમાં લેતાં રાકેશ મોહન અને સુબિર ગોકર્ણ રિઝર્વ બેન્કમાં ટોચના પદ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યાં છે. રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર હોવાને નાતે રાકેશ મોહન તેની તમામ કામગીરીથી સારી રીતે વાકેફ છે. તેઓ આર્થિક બાબતોના વિભાગમાં સચિવ તથા મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો પણ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ખાતે ત્રણ વર્ષ માટે ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે.
જ્યારે સુબિર ગોકર્ણ હાલમાં આઈએમએફમાં મોહનના સ્થાને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યાં છે. તે અગાઉ તે સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ખાતે એશિયા-પેસિફિકના અધ્યક્ષ પદે હતાં. રાજનના અનુગામીના નામની જાહેરાત આગામી ૧૫ જુલાઈ સુધીમાં કરવામાં આવશે તેમ સૂત્રોનું માનવું છે.
RBI ગવર્નરના પદ માટે ત્રણ વર્ષનો સમય ઘણો ઓછો : રાજન નવી દિલ્હી- આગામી સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કના ગવર્નર પદ પરથી વિદાય લઈ રહેલાં રઘુરામ રાજને મધ્યસ્થ બેન્કના અધ્યક્ષના ત્રણ વર્ષના કાર્યકાળને અપૂરતો ગણાવી લાંબા કાર્યકાળની તરફેણ કરી હતી. રાજને જણાવ્યું હતું કે ભારતે પણ વિશ્વના અન્ય દેશોમાં પ્રવર્તમાન લાંબા કાર્યકાળની પદ્ધતિને અનુસરવી જોઈએ. શું ગવર્નરના પદ માટે પાંચ વર્ષની મુદ્દત હોવી જોઈએ તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે અમેરિકન ફેડરલ રિઝર્વનું ઉદાહરણ ટાંક્યું હોવાનું મનાય છે. ફેડ રિઝર્વમાં નિર્દેશક મંડળના સભ્ય ઉપરાંત ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.
રેક્ઝિટ: રાજન પહેલીવાર જેટલીને મળ્યાં રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે બીજો કાર્યકાળ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ રઘુરામ રાજને ગુરૂવારે પ્રથમવાર નાણાં મંત્રી અરૂણ જેટલીની મુલાકાત લઈ નીતિ વિષયક વ્યાજ દર નિર્ધારણ માટેના નવા તંત્ર(મોનેટરી પોલિસી કમિટી)ના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. વર્તમાન વ્યવસ્થા અંતર્ગત વ્યાજ દરના નિર્ધારણનો નિર્ણય રિઝર્વ બેન્કના ગવર્નર લે છે. નવી પદ્ધતિ અંતર્ગત છ સભ્યોની બનેલી પેનલ વ્યાજ દર અંગે નિર્ણય લેશે.
આ ઘટનાક્રમથી વાકેફ એક વરિષ્ઠ સરકારી અધિકારીના મતે સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયમાં મજબૂત સંકેતો મોકલવા માટે તથા રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની સ્વતંત્રતાની ચિંતાના ઉકેલ માટે રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે અર્થશાસ્ત્રીની નિમણૂક કરવા પ્રતિબદ્ધ છે. છેલ્લાં એક સપ્તાહના ઘટનાક્રમને ધ્યાનમાં લેતાં રાકેશ મોહન અને સુબિર ગોકર્ણ રિઝર્વ બેન્કમાં ટોચના પદ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યાં છે. રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર હોવાને નાતે રાકેશ મોહન તેની તમામ કામગીરીથી સારી રીતે વાકેફ છે. તેઓ આર્થિક બાબતોના વિભાગમાં સચિવ તથા મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો પણ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ખાતે ત્રણ વર્ષ માટે ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે.
જ્યારે સુબિર ગોકર્ણ હાલમાં આઈએમએફમાં મોહનના સ્થાને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યાં છે. તે અગાઉ તે સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ખાતે એશિયા-પેસિફિકના અધ્યક્ષ પદે હતાં. રાજનના અનુગામીના નામની જાહેરાત આગામી ૧૫ જુલાઈ સુધીમાં કરવામાં આવશે તેમ સૂત્રોનું માનવું છે.
RBI ગવર્નરના પદ માટે ત્રણ વર્ષનો સમય ઘણો ઓછો : રાજન નવી દિલ્હી- આગામી સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કના ગવર્નર પદ પરથી વિદાય લઈ રહેલાં રઘુરામ રાજને મધ્યસ્થ બેન્કના અધ્યક્ષના ત્રણ વર્ષના કાર્યકાળને અપૂરતો ગણાવી લાંબા કાર્યકાળની તરફેણ કરી હતી. રાજને જણાવ્યું હતું કે ભારતે પણ વિશ્વના અન્ય દેશોમાં પ્રવર્તમાન લાંબા કાર્યકાળની પદ્ધતિને અનુસરવી જોઈએ. શું ગવર્નરના પદ માટે પાંચ વર્ષની મુદ્દત હોવી જોઈએ તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે અમેરિકન ફેડરલ રિઝર્વનું ઉદાહરણ ટાંક્યું હોવાનું મનાય છે. ફેડ રિઝર્વમાં નિર્દેશક મંડળના સભ્ય ઉપરાંત ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.
રેક્ઝિટ: રાજન પહેલીવાર જેટલીને મળ્યાં રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે બીજો કાર્યકાળ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ રઘુરામ રાજને ગુરૂવારે પ્રથમવાર નાણાં મંત્રી અરૂણ જેટલીની મુલાકાત લઈ નીતિ વિષયક વ્યાજ દર નિર્ધારણ માટેના નવા તંત્ર(મોનેટરી પોલિસી કમિટી)ના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. વર્તમાન વ્યવસ્થા અંતર્ગત વ્યાજ દરના નિર્ધારણનો નિર્ણય રિઝર્વ બેન્કના ગવર્નર લે છે. નવી પદ્ધતિ અંતર્ગત છ સભ્યોની બનેલી પેનલ વ્યાજ દર અંગે નિર્ણય લેશે.