અમિત મુદ્રિલ, નવી દિલ્હી: દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદી આવવાથી ગ્લોબલ ઈકોનોમીમાં સુસ્તીની સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે બીએસઈ સેન્સેક્સમાં 444 પોઈન્ટના ગાબડાંએ ફરી એકવખત યાદ અપાવી દીધી કે રોકાણકારોને દુનિયાના બજારો પર નજર રાખવાની જરૂર છે. ગ્લોબ બેંક્સ તરફથી ઈકોનોમી સુધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં ચાર એવી મહત્વપૂર્ણ બાબતો છે, જેના પર ધ્યાન આપવાની જરૂરત છે.
યુરોપના નાણાં બજારમાં મોટી હલચલ: બ્રિટનના યુરોપીયન યુનિયનમાંથી નીકળવાના નિર્ણય બાદ ઈટાલી, ગ્રીસથી લઈ પોર્ટુગલ સુધીની બેંકોની હાલત ડામાડોળ છે. યુરો ઝોનની બેંકોની લગભગ 900 બિલિયન યુરોની બેડ લોન થઈ ગઈ છે. શટે રિસર્ચના ફાઉન્ડર એન્ડ એડિટર પોલ શટેએ ઈકોનોમિક ટાઈમ્સ નાઉને જણાવ્યું કે, ‘માર્કેટ માટે હાલ મોટું સંકટ કોઈપણ યુરોપીય બેંકનું ડામાડોળ થવું હોઈ શકે છે.’
ઘણી યુરોપીન બેંક ગંભીર સંકટમાં છે. જો એવું થાય છે તો ઈટાલી, જર્મની અને બ્રિટનની બેંક ઉભરતા બજારોમાંથી પોતાની પૂંજી કાઢવાનો પ્રયાસ કરી શકે છે. ભારત જેવા બજારોમાંથી અત્યાર સુધીમાં આરબીએસ, વાર્કલેઝ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પોતાનો વેપાર સમેટી ચૂકી છે. દુનિયાના બજારો માટે આ સ્થિતિ હાલ સૌથી મોટો ખતરો છે.’
જો ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મેનહટ્ટનના અબજોપતિ ડોનાલ્ડ ટ્રંપ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. ટ્રંપને મુસ્લિમોની અમેરિકામાં એન્ટ્રી પર બેન મૂકવા જેવા વિવાદિત નિવેદનો માટે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત ભારત અને ચીન જેવા દેશો પર પણ તે અમેરિકાની નોકરીઓ આંચકવાનો આરોપ લગાવી ચૂક્યા છે. જો તે અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો ગ્લોબલ ઈક્વિટી માર્કેટ માટે નિગેટિવ માહોલ બની શકે છે.
ચીનથી થઈ શકે છે મુશ્કેલીની શરૂઆત: ગત ઓગસ્ટમાં યુઆનના ડિવેલ્યુએશનને પગલે ચીનમાં શું થયું તેને કોણ ભૂલાવી શકે છે. ચીની સેન્ટ્રલ બેંક તરફથી યુઆનના ડિવેલ્યુએશનને પગલે બજારમાં વેચાવલીનું દબાણ વધી ગયું અને દુનિયાભારના બજારોમાં નબળી સ્થિતિ જોવા મળી. જોકે, હાલમાં જ ચીન તરફથી બહાર પડાયેલા ડેટામાં સુધારાની સ્થિતિ જોવા મળી છે, પરંતુ હજુ પણ સ્થિતિ શંકાસ્પદ છે. વેદા ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઈન્ડર એન્ડ મેનેજિંગ એડિટર જ્યોતિવર્ધન જયપુરિયાએ કહ્યું કે, ‘જો આપણી જોઈએ તો ગત વર્ષે ચીન પર વધુ ખતરો હતો, મારું માનવું છે કે આ ભય હજુ પણ દૂર નથી થયો.’
દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ બદલી રહી છે નીતિ: મંદીની સ્થિતિમાંથી બહાર આવવા દુનિયાની શક્તિશાળી અર્થવ્યવસ્થાઓ પોતાની નીતિમાં ફેરફાર કરવામાં લાગેલી છે. બેંક ઓફ જાપાનના ગવર્નર હારુહિકો કુરોદાએ ગત સપ્તાહે માન્યું હતું કે, અર્થવ્યવસ્થાને આક્રમક પગલાંઓને પગલે નુકસાન થઈ રહ્યું છે. જાપાને ઈકોનોમીમાં ગતિ લાવવા માટે વધુ નોટ છાપીને બજારમાં લિક્વિડિટી વધારવાનો નિર્ણય કર્યો છે.
યુરોપના નાણાં બજારમાં મોટી હલચલ: બ્રિટનના યુરોપીયન યુનિયનમાંથી નીકળવાના નિર્ણય બાદ ઈટાલી, ગ્રીસથી લઈ પોર્ટુગલ સુધીની બેંકોની હાલત ડામાડોળ છે. યુરો ઝોનની બેંકોની લગભગ 900 બિલિયન યુરોની બેડ લોન થઈ ગઈ છે. શટે રિસર્ચના ફાઉન્ડર એન્ડ એડિટર પોલ શટેએ ઈકોનોમિક ટાઈમ્સ નાઉને જણાવ્યું કે, ‘માર્કેટ માટે હાલ મોટું સંકટ કોઈપણ યુરોપીય બેંકનું ડામાડોળ થવું હોઈ શકે છે.’
ઘણી યુરોપીન બેંક ગંભીર સંકટમાં છે. જો એવું થાય છે તો ઈટાલી, જર્મની અને બ્રિટનની બેંક ઉભરતા બજારોમાંથી પોતાની પૂંજી કાઢવાનો પ્રયાસ કરી શકે છે. ભારત જેવા બજારોમાંથી અત્યાર સુધીમાં આરબીએસ, વાર્કલેઝ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પોતાનો વેપાર સમેટી ચૂકી છે. દુનિયાના બજારો માટે આ સ્થિતિ હાલ સૌથી મોટો ખતરો છે.’
જો ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મેનહટ્ટનના અબજોપતિ ડોનાલ્ડ ટ્રંપ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. ટ્રંપને મુસ્લિમોની અમેરિકામાં એન્ટ્રી પર બેન મૂકવા જેવા વિવાદિત નિવેદનો માટે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત ભારત અને ચીન જેવા દેશો પર પણ તે અમેરિકાની નોકરીઓ આંચકવાનો આરોપ લગાવી ચૂક્યા છે. જો તે અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો ગ્લોબલ ઈક્વિટી માર્કેટ માટે નિગેટિવ માહોલ બની શકે છે.
ચીનથી થઈ શકે છે મુશ્કેલીની શરૂઆત: ગત ઓગસ્ટમાં યુઆનના ડિવેલ્યુએશનને પગલે ચીનમાં શું થયું તેને કોણ ભૂલાવી શકે છે. ચીની સેન્ટ્રલ બેંક તરફથી યુઆનના ડિવેલ્યુએશનને પગલે બજારમાં વેચાવલીનું દબાણ વધી ગયું અને દુનિયાભારના બજારોમાં નબળી સ્થિતિ જોવા મળી. જોકે, હાલમાં જ ચીન તરફથી બહાર પડાયેલા ડેટામાં સુધારાની સ્થિતિ જોવા મળી છે, પરંતુ હજુ પણ સ્થિતિ શંકાસ્પદ છે. વેદા ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઈન્ડર એન્ડ મેનેજિંગ એડિટર જ્યોતિવર્ધન જયપુરિયાએ કહ્યું કે, ‘જો આપણી જોઈએ તો ગત વર્ષે ચીન પર વધુ ખતરો હતો, મારું માનવું છે કે આ ભય હજુ પણ દૂર નથી થયો.’
દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ બદલી રહી છે નીતિ: મંદીની સ્થિતિમાંથી બહાર આવવા દુનિયાની શક્તિશાળી અર્થવ્યવસ્થાઓ પોતાની નીતિમાં ફેરફાર કરવામાં લાગેલી છે. બેંક ઓફ જાપાનના ગવર્નર હારુહિકો કુરોદાએ ગત સપ્તાહે માન્યું હતું કે, અર્થવ્યવસ્થાને આક્રમક પગલાંઓને પગલે નુકસાન થઈ રહ્યું છે. જાપાને ઈકોનોમીમાં ગતિ લાવવા માટે વધુ નોટ છાપીને બજારમાં લિક્વિડિટી વધારવાનો નિર્ણય કર્યો છે.