એપશહેર

મંદીના માહોલમાં આ સરકારી કંપની કરવા જઈ રહી છે 9000 ભરતીઓ

Hitesh Mori | I am Gujarat 18 Sep 2019, 7:40 pm
દેબોય સેનગુપ્તા, કોલકાત્તાઃ મંદીની હાલતમાં દરેક સેક્ટરમાં મોટાભાગની કંપનીઓ છટણી કરી રહી છે પરંતુ એક સરકારી કંપની એવી છે જેમાં બંપર ભરતીઓ કરવા જઈ રહી છે. કંપની તેમાં એક્ઝિક્યુટિવ લેવલ પર 4000 લોકોની નિમણૂક કરશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો છેલ્લા 10 વર્ષમાં આ સરકારી માઈનિંગ કંપની કોલ ઈન્ડિયા અને તેની સબ્સિડિયરીઝ દ્વારા આ સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે. એક્ઝિક્યુટિવ નિમણૂક હોલ્ડિંગ કંપનીમાં થાય છે, જ્યારે વર્કરો અને ટેક્નિકલ કર્મચારીઓને તેમની 8 સહાયક શાખાઓમાં નિમણૂક કરવામાં આવે છે. કોલ ઈન્ડિયાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું,’છેલ્લા 10 વર્ષોમાં કોલ ઈન્ડિયા પહેલી વખત આટલા મોટા સ્તર પર ભરતી કરી રહી છે. કેટલાય વર્ષોથી આ જગ્યાઓ ખાલી પડી હતી. ગત વર્ષે અમે માત્ર 1200 લોકોની જ નિમણૂક કરી હતી.’ દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા ઈન્ડિયન રેલ બાદ દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર કંપની છે. કોલ ઈન્ડિયામાં કુલ 2,80,000 કર્મચારી છે, જેમાંથી 18,000થી વધુ એક્ઝિક્યુટિવ લેવલ પર છે. ભરતીમાં 4000 કર્મચારીઓમાંથી જૂનિયર કેટેગરિમાં 900ની નિમણૂક એડવર્ટાઈઝમેન્ટ અને ઈન્ટરવ્યૂ દ્વારા થશે, 400 કેમ્પસથી અને અંદાજીત 100 મેડિકલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત 2200 કર્મચારીઓની પસંદગી કોમ્પિટિવ એક્ઝામ દ્વારા થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો