એપશહેર

આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદના મકાનોની કિંમતમાં 3%નો ઘટાડો થયો: રિપોર્ટ

દેશના મુખ્ય 8 શહેરો પૈકી 6માં વાર્ષિક આધારે મકાનોની સરેરાશ કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. ઘર ખરીદવા માગતા લોકો તૈયાર પ્રોપર્ટીઓને પ્રાથમિકતા આપી રહ્યા છે.

I am Gujarat 10 Oct 2020, 3:56 pm
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે માગમાં ઘટાડો થતા આ વર્ષે 2020માં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશના મુખ્ય 6 શહેરોમાં મકાનોની કિંમતમાં ઘટાડો થયો છે. આ મુખ્ય 6 શહેરોના મકાનોમાં 7% સુધીનો ઘટાડો થયો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
I am Gujarat q1


પ્રોપર્ટી સંબંધિત સલાહ-સૂચન આપનાર કંપની નાઈટ ફ્રેંક ઈન્ડિયાએ કહ્યું કે દેશના મુખ્ય 6 શહેરોમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મકાનોની સરેરાશ કિંમતોમાં 2-7% સુધીનો ઘટાડો થયો છે. આ શહેરોમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, ચેન્નઈ, પૂના, કોલકાતા અને અમદાવાદ સામેલ છે.

પરંતુ, આ દરમિયાન બેંગલુરુ અને હૈદરાબાદમાં મકાનોની સરેરાશ કિંમત ગત વર્ષની સરખામણીમાં ક્રમશ: 3% અને 4% વધી ગઈ છે.

રિપોર્ટ અનુસાર, આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ચેન્નઈના મકાનોની કિંમતમાં સૌથી વધુ 7%નો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હી એનસીઆર અને પૂનામાં 5%નો ઘટાડો નોંધાયો છે. કોલકાતા અને અમદાવાદમાં 3%નો ઘટાડો અને મુંબઈના મકાનોમાં 2%નો ઘટાડો જોવા મળ્યો છે.

કંપનીએ કહ્યું કે દેશના મુખ્ય 8 શહેરો પૈકી 6માં વાર્ષિક આધારે મકાનોની સરેરાશ કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. નાઈટ ફ્રેંક ઈન્ડિયાના એમડી શિશિર બૈજલે કહ્યું કે વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં વેચાણ અને લૉન્ચમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ડેવલપર્સનું ફોકસ ઈન્વેન્ટરીને સાફ કરવા પર છે. ઘર ખરીદવા માગતા લોકો તૈયાર પ્રોપર્ટીઓને પ્રાથમિકતા આપી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો