એપશહેર

ડુંગળીની કિંમતમાં આટલો વધારો કેમ? પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી જશે!

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશનાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ થયો. આ વરસાદના કારણે ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં જે ડુંગળી સ્ટોર કરવામાં આવી હતી તેને ઘણું નુકસાન પહોંચ્યું છે.

I am Gujarat 25 Oct 2020, 4:14 pm
દેશમાં ડુંગળીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં જમાખોરી રોકવા માટે સ્ટૉક લિમિટ લાગુ કરવામાં આવી છે. ડુંગળીને જ્યારે આવશ્યક કોમોડિટી લિસ્ટમાંથી બહાર કરવામાં આવી હતી, ત્યારબાદ ડુંગળીની સ્ટૉક લિમિટ ખતમ થઈ ગઈ. કોઈપણ વેપારી ડુંગળીનો ઈચ્છે તેટલો સ્ટૉક રાખી શકે છે. પણ, હવે તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. સરકારે નિકાસ પર રોક લગાવી અને આયાત કરવાનો નિર્ણય કરીને ડુંગળીની કિંમતને કંટ્રોલ કરવાના પ્રયાસ કર્યા છે.
I am Gujarat q1


ભારતમાં ડુંગળીના મુખ્ય ત્રણ પાકો છે. જૂન-જુલાઈ દરમિયાન જે ડુંગળીની વાવણી થાય છે તે ઓક્ટોબરના અંત સુધીમાં બજારમાં આવવા લાગે છે. સપ્ટેમ્બરમાં જે ડુંગળીની વાવણી થાય છે તે ડિસેમ્બરના અંત સુધીમાં બજારમાં આવવા લાગે છે. ત્યારબાદ રવિ સિઝનમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં પણ ડુંગળીની વાવણી થાય છે જે માર્ચ બાદ બજારમાં આવવા લાગે છે. રવિ સિઝનની ડુંગળીમાં ભેજનું પ્રમાણ સૌથી ઓછું હોય છે, તેવામાં ખેડૂતો તેનો સ્ટોક કરી રાખે છે. આ ડુંગળી બજારમાં લાંબા સમય સુધી ચાલે છે. જ્યાં સુધી નવો પાક બજારમાં આવતો નથી ત્યાં સુધી આ સ્ટોક માર્કેટની જરૂરિયાતો પૂરી કરે છે.

ડુંગળીએ રડાવ્યા! અમદાવાદમાં કિલોના ભાવ 100 રૂપિયાથી વધુ થવાની શક્યતા

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દેશનાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ થયો. આ વરસાદના કારણે ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં જે ડુંગળી સ્ટોર કરવામાં આવી હતી તેને ઘણું નુકસાન પહોંચ્યું છે. માત્ર મહારાષ્ટ્રના ખેડૂતોની પાસે સ્ટોર કરેલી ડુંગળી બાકી છે જે આખા દેશની માગ પૂરી કરી રહી છે. આ કારણે ડુંગળીની કિંમતમાં વધારો થયો છે.

કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ડુંગળીની લાઈફમાં પણ ઘટાડો થયો છે. કારણકે ખેડૂતો ડુંગળીના વધુ પાક માટે યુરિયાનો વધારે ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ ભાવનગર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી આશરે એક સપ્તાહમાં અમદાવાદ રિટેલ બજારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી જશે તેવી આશંકા વ્યક્ત કરી છે. શહેરમાં છૂટક ભાવ પહેલાથી જ પ્રતિ કિલો 90ના આંકડાને પાર કરી ચૂક્યો છે.

Read Next Story