એપશહેર

ત્રણ મોટી બેંકોના મર્જર પછી અનેક કર્મચારીઓને ન છૂટકે લેવું પડશે VRS?

વિપુલ પટેલ | I am Gujarat 19 Sep 2018, 7:31 pm
કોલકાતા: બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જર બાદ આ ત્રણે બેંકોના ઘણા કર્મચારીઓને ન છૂટકે વોલેન્ટરી રિટાયરમેન્ટ (VRS) લેવું પડશે એવું બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે. જોકે, નાણાંમંત્રી અરૂણ જેટલીએ વચન આપ્યું છે કે, આ બેંકોના કર્મચારીઓને રક્ષણ આપવામાં આવશે. શેરખાનના એનાલિસ્ટ લલિતાભ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ગુજરાતમાં બેંક ઓફ બરોડા અને દેના બેંકની મોટી હાજરી છે, એટલે આ બંને બેંકોની બ્રાન્ચો અને એટીએમની સંયુક્ત સંખ્યા ઘણી વધારે થઈ જશે, એટલે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને તેની સહયોગી બેંકોનું મર્જર થાય છે તો VRS તેનો ભાગ હોય જ છે. એસબીઆઈ અને તેની સહયોગી બેંકોના લગભગ 4,000 જેટલા કર્મચારીઓએ વીઆરએસ લીધું છે. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના કુલ લગભગ 85 હજાર કર્મચારીઓ છે. બેંકોના મર્જર બાદ ઊભી થનારી સ્થિતિને લઈને જુનિયર અને સીનિયર કર્મચારીઓના મનમાં અલગ-અલગ ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે. જુનિયર કર્મચારીઓમાં તેમાં કેરિયરની તક દેખાઈ રહી છે, તો સીનિયર કર્મચારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. સોમવારે સરકારે કહ્યું હતું કે, કર્મચારીઓનું રક્ષણ કરવામાં આવશે અને તેમને સારું પેકેજ આપવામાં આવશે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો