એપશહેર

SBIની મદદ બાદ પણ Yes Bankનું બજારમાં ટકી રહેવું મુશ્કેલ

Navbharat Times 15 Mar 2020, 6:25 pm
મુંબઈ: ભારતીય સ્ટેટ બેંક (SBI)ના રોકાણ બાદ પણ Yes Bankનું બજારમાં ટકી રહેવું મુશ્કેલ છે. Yes Bankનું માનવું છે કે આગામી નાણાકીય વર્ષ 2020-21માં પણ તેની NPAની સમસ્યા કાયમ રહેશે. બેંકના સીઈઓ પ્રશાંત કુમારે ભરોસો આપ્યો છે કે 10,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણ બાદ બેંક ફરી ઊભી થઈ શકે છે. રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી અને ઝી સમૂહના સુભાષ ચંદ્રા પર Yes Bankનું 21 હજાર કરોડ રૂપિયાનું દેવું છે, જે એનપીએની કેટેગરીમાં છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોડૂબેલા દેવાના દબાણના કારણે Yes Bankને ચાલુ નાણાકીય વર્ષની ડિસેમ્બરમાં સમાપ્ત ત્રીજા ત્રિમાસિકમાં 18,654 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ખાનગી ક્ષેત્રની કોઈ બેંકનું અત્યાર સુધીનું સૌથી વધારે નુકસાન છે. બેંકમાંથી ગત 6 મહિના દરમિયાન 72,000 કરોડ રૂપિયાની ખપત થઈ અને હવે આ આંકડો 1.37 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
કુમારનું માનવું છે કે 10 હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ અને 1 હજાર કરતા વધારે બ્રાન્ચ તેમજ મજબૂત ગ્રાહકના આધારે ચાલતી Yes Bank ‘ચાલુ હાલત’માં રહેશે. કુમારને રિઝર્વ બેંકે Yes Bankના પ્રશાસક નિયુક્ત કર્યા છે. તેઓ બેંક પર લગાવવામાં આવેલી રોક સમાપ્ત થયા બાદ બુધવારે સાંજે સીઈઓનું પદ સંભાળશે.એવું માનવામાં આવી રહ્યું છે કે Yes Bankમાં સંકટનું મુખ્ય કારણ કથિતરીતે સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી રાણા કપૂરની અવ્યવસ્થા રહી છે. રિઝર્વ બેંકે કાર્યના સંચાલનમાં ખામી બાદ કપૂરનો કાર્યકાળ ઘટાડ્યો હતો. કપૂરના ઉત્તરાધિકારી રવનીત ગિલે બેંકની ખાતાવહીમાં દબાણવાળી સંપત્તિઓની ઓળખ શરૂ કરી. માર્ચ, 2019 સમાપ્ત ત્રિમાસિકમાં બેંકને પહેલી વખત ત્રિમાસિક નુકસાન થયું.ભારતમાં બીજા સ્ટેજમાં પહોંચ્યો કોરોના, જો ત્રીજા સ્ટેજમાં આવ્યો તો શું થઈ શકે?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો