એપશહેર

લોન ન ચૂકવી શકતા Yes Bankએ અનિલ અંબાણી ગ્રુપના હેડક્વોર્ટર પર કબજો કર્યો

અનિલ અંબાણી તરફથી 2892 કરોડ રૂપિયાની લોન ન ચૂકવાતા યસ બેંકે રિલાયન્સ સેન્ટર સહિત નાગિન મહેલના બે માળ પર કબજો કર્યો.

THE ECONOMIC TIMES 30 Jul 2020, 10:58 am
એક સમયે દુનિયાના છઠ્ઠા નંબરના સૌથી અમીર વ્યક્તિ રહેલા અનિલ અંબાણીને પોતાનું હેડક્વોર્ટર ગુમાવવું પડી રહ્યું છે. તેમના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના મુંબઈ સ્થિત રિલાયન્સ સેન્ટરને યસ બેંકે પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. બેંકે 21,000 ચોરસ ફૂટની બિલ્ડીંગ અને સાઉથ મુંબઈમાં નાગિન મહેલના બે માળના પઝેશન માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી. અનિલ અંબાણી તરફથી 2892 કરોડ રૂપિયાની લોન ન ચૂકવાયા બાદ બેંકે આ કાર્યવાહી કરી છે.
I am Gujarat anil ambani


બિલ્ડીંગનું પઝેશન 22 જુલાઈએ SARFESI એક્ટ હેઠળ લેવાયું હતું. પબ્લિક નોટિસમાં યસ બેંકે જણાવ્યું છે કે, કંપની દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેતા તેણે પૈસાની રિકવરી માટે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને SARFESI હેઠળ નોટિસ મોકલી હતી. તેણે પઝેશન નોટિસ પણ પાઠવી હતી.

જણાવી દઈએ કે અનિલ અંબાણી ગ્રુપ પર યસ બેંકનું 12,000 કરોડ રૂપિયાનું દેવું છે. આ વર્ષે માર્ચમાં જ EDની પૂછપરછમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે યસ બેંકથી તેમણે જે લોન લીધી છે, જે સંપૂર્ણ રીતે સેફ છે. તેમણે કહ્યું હતું કે, યસ બેંકનું બધું દેવું તેઓ ચૂકતે કરશે પછી તેના માટે પોતાની પ્રોપર્ટી પણ વેચશે.

તો બીજી તરફ લોન આપવામાં અનિયમિતતા મામલે પૂછપરછ દરમિયાન અનિલ અંબાણીએ બેંકના પૂર્વ ડાયરેક્ટર રાણા કપૂર, તેમની પત્ની અથવા દીકરી કે પછી તેમના નિયંત્રણમાં રહેલી કોઈ કંપની સાથે સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. EDએ મે મહિનામાં જ રાણા કપૂર અને તેમની દીકરીઓ વિરુદ્ યસ બેંક ફ્રોડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાલમાં બેંકના ડાયરેક્ટર તરીકે પ્રશાંત કુમાર કામકાજ સંભાળી રહ્યા છે.

આ પણ જુઓઃ આ વર્ષે નવરાત્રિ પર થશે ગરબાનું આયોજન? મંજૂરી લેવા આયોજકો CMને મળ્યા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો