એપશહેર

ઓમિક્રોન એલર્ટઃ R0 વેલ્યુએ ટેન્શન વધાર્યું, ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા

ભારતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે પરંતુ એક્સપર્ટ એક મહત્વની સલાહ આપી રહ્યા છે

I am Gujarat 22 Dec 2021, 2:07 pm

હાઈલાઈટ્સ:

  • ઓમિક્રોનના કારણે હવે ત્રીજી લહેરના ભણકારા વાગવાના શરુ થયા
  • એક્સપર્ટ્સ ત્રીજી લહેર આવે તે પહેલા મહત્વની સલાહ આપી રહ્યા છે
  • ગુરુવારે PM મોદી એક્સપર્ટ્સ સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat omicron and r0 value increased third wave tension expert advice not to panic
ઓમિક્રોન એલર્ટઃ R0 વેલ્યુએ ટેન્શન વધાર્યું, ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે કોઈ વિપરિત સ્થિતિ ઉભી થઈ નથી, આમ છતાં જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા કેટલાક ભણકારા વાગી રહ્યા છે. અમેરિકામાં પાછલા અઠવાડિયે કોરોના સંક્રમણના જે કેસ આવ્યા તેમાંથી 73% કેસ ઓમિક્રોનના છે, જ્યારે તેની પહેલા આ આંકડો માત્ર 3% જ હતો. એટલે અગાઉ અહીં 10 નવા કેસમાંથી માત્ર 3 ઓમિક્રોન હતા, હવે તેની સંખ્યા 7-8 પર પહોંચી ગઈ છે. ભારતમાં ઓમિક્રોનના કેસ વધી ગયા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને આવતા રોકવી મુશ્કેલ છે. પરંતુ તેમણે એવો પણ દિલાસો અપાવ્યો છે કે પેનિક થવાની જરુર નથી. મહત્વનું છે કે ગુરુવારે વડાપ્રધાન મોદી મહત્વની બેઠક કરી રહ્યા છે.
શું છે R0 એટલે કે આર નોટ વેલ્યુ

આગળ વધતા પહેલા એ સમજી લઈએ કે આર નોટ એટલે કે R0 વેલ્યુ શું છે. આ એક મેથામેટિકલ ટર્મ છે જે એ દર્શાવે છે કે કોઈ વાયરસ કેટલો વધારે ઝડપથી લોકોને સંક્રમિત કરે છે. આર નોટ એ દર્શાવે છે કે કોઈ વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ સરેરાશ કેટલાક સ્વસ્થ લોકોને બીમાર કરે છે અને પછી બીમારી સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. SARS-Cov-2 એટલે કે કોરોના વાયરસનો R0 વેલ્યુ એટલે કે રિપ્રોડક્શન વેલ્યુ મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વધી છે. R0 વેલ્યુ 1 હોવાનો મતલબ છે કે એક દર્દી આ બીમારીને એક વ્યક્તિમાં ફેલાવી રહ્યો છે. દેશમાં હાલ સરેરાશ R0 વેલ્યુ 0.89 છે.

દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જાણવા વડાપ્રધાન મોદીની ગુરુવારે મહત્વની બેઠક
આ રાજ્યોમાં R0 વેલ્યુ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે

મહામારી એક્સપર્ટ ડૉક્ટર ગિરિધર બાબુએ મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું કે, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ત્રિપુરા, તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને નાગાલેન્ડમાં R0 વેલ્યુ રાષ્ટ્રીય સરેરાશ 0.89 કરતા ઊંચી છે.

દર અઠવાડિયે આ રીતે R0 બદલાઈ રહ્યો છે

2 નવેમ્બર ખતમ થતા અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં R0 વેલ્યુ 0.7 હતી જે ધીરે-ધીરે વધીને 0.82 (14 નવેમ્બર) અને 0.96 (22 નવેમ્બર) પર પહોંચી છે. 29 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીના સપ્તામાં સામાન્ય ઘટાડો થયો પરંતુ તે ક્રમશઃ 0.92 અને 085 પહોંચી ગયો છે. જોકે પાછલા બે અઠવાડિયામાં R0 પરી વધવા લાગ્યો છે. 19 ડિસેમ્બરે તે 1.08 પર પહોંચી ગયો છે.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અઠવાડિયાના કેસ અને R0 વેલ્યુમાં ઉછાળ આવવાનો સંકેત એ છે કે આગામી મહિને કોરોનાનો ગ્રાફ કેવો રહેવાનો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય રાહુલ પંડિતનું કહ્યું છે કે ગભરાવાની જરુર નથી.


ત્રીજી લહેર તો આવવાની જ છે

પંડિતે કહ્યું, 'R વેલ્યુમાં કોઈ પણ રીતે ઉછાળો ચિંતાની વાત છે અને તેનો મતલબ છે કે પબ્લિક હેલ્થ સિસ્ટમ પર વધારે ધ્યાન રાખવું, કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવું પડશે.'

કોવિડ ટાસ્ક ફોર્સના એક અન્ય સભ્ય શશાંક જોશી કહે છે, "થોડા મહિના પહેલા સુધી ત્રીજી લહેરની આશંકા ઘણી ઓછી લાગી રહી હતી, પરંતુ ઓમિક્રોન વેરિયન્ટના આવવાથી સ્થાનિક સ્તર પર તે ઝડપથી ફેલાવાની આશંકા વધી છે."

ઈન્ટર્નલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ સ્વપનિલ પરિખ મુજબ ત્રીજી લહેર તો આવવાની જ છે. તેઓ જણાવે છે કે, "બાકી દેશોમાં જે ટ્રેન્ડ દેખાય છે, તે પ્રમાણે ભારતમાં પણ કેસ વધશે."

જાહેરમાં જ આરોપીને ઢોર માર મારતી પોલીસ કસ્ટડીમાં શું કરતી હશે?
રાહતની વાત

જોકે, મોટાભાગના ડૉક્ટરોનું કહેવું છે કે વેક્સીન અને પહેલા થઈ ગયેલા સંક્રમણના કારણે જે ઈમ્યુનિટી બની છે તે ઓમિક્રોન લહેરને વધારે ગંભીર નહી બનવા દે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો