એપશહેર

22 દિ’માં 11 હત્યા: મેઘાણીનગરમાં પિતા-પુત્રએ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને પતાવી દીધો

I am Gujarat 23 Sep 2016, 12:14 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 22 11
22 દિ’માં 11 હત્યા: મેઘાણીનગરમાં પિતા-પુત્રએ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને પતાવી દીધો


– અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાઓ અટકતી નથી..! શહેરમાં ચાલુ મહિનાનાં માત્ર 22 દિવસમાં 11 હત્યા થઈ છે. બુધવારે મેઘાણીનગરમાં એક વૃધ્ધની પાડોશમાં રહેતા પિતા-પુત્રએ તકરાર કરી માથામાં પથ્થર મારી હત્યા કરી હતી. પોલીસને બન્ને આરોપીઓને પકડી પાડ્યાં હતા.
મેઘાણીનગર કલગીધર સોસાયટીમાં રહેતા 65 વર્ષિય મગનભાઈ નરસીભાઈ પરમાર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. પાંચેક મહિના અગાઉ મગનભાઈ અને તેમનો પરિવાર મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં રહેતો ત્યારે ત્યાંના પાડોશી બાબુભાઈ ચાવડા સાથે તેમને અવારનવાર તકરાર થયા કરતી હતી. મગનભાઈ ઘર બદલીને કલગીધર સોસાયટીમાં રહેવા આવી ગયા બાદ થોડા સમયમાં બાબુભાઈનો પરિવાર પણ તેમના ઘર નજીક રહેવા આવ્યો હતો. જેને પગલે ફરી બન્ને પરિવાર વચ્ચે તકરાર શરૂ થઈ હતી. દરમિયાન બુધવારે સવારે 8 વાગ્યે મગનભાઈ ઘર નજીક આવેલી નર્મદાબેનની ચાલી ખાતે ઊભા હતા ત્યારે બાબુભાઈ ચાવડા અને તેમનો દીકરો પપ્પુ ચાવડા ત્યાં આવ્યાં હતા અને મગનભાઈ સાથે તકરાર કરી હતી. પિતા-પુત્રએ ઉશ્કેરાઈ જઈ મગનભાઈને માથામાં પથ્થરનો જોરદાર ઘા મારી નાસી છૂટ્યાં હતા. લોકોએ મગનભાઈને હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં મગનભાઈએ પિતા-પુત્ર વિરૂધ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. જો કે રાત્રે સારવાર દરમિયાન મગનભાઈનું મોત નિપજતા અંતે પોલીસે હત્યાની કલમ ઉમેરી પિતા-પુત્રની
ધરપકડ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો