એપશહેર

જન ધન એકાઉન્ટ બંધ કરવાનું છે કહી ગઠિયાએ ઓનલાઈન ~ 44 હજાર સેરવી લીધા

I am Gujarat 20 Dec 2016, 12:15 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime/44
જન ધન એકાઉન્ટ બંધ કરવાનું છે કહી ગઠિયાએ ઓનલાઈન ~ 44 હજાર સેરવી લીધા


– કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્જેક્શન સામે ગ્રાહકની સુરક્ષા શું? તેવી ચર્ચા વચ્ચે ઓઢવમાં એક યુવકના જન-ધન યોજના અંતર્ગત ખોલાવેલા બેન્ક એકાઉન્ટમાંથી ગઠિયો 44 હજાર રૂપિયા ઓનલાઈન સેરવી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસ.બી.આઈ બેન્કના મેનેજર તરીકે ઓળખ આપી ગઠિયાએ એક યુવકને ‘તમારૂ જન-ધન યોજનાનું એકાઉન્ટ બંધ કરવું પડશે’ તેમ કહી એટીએમનો નંબર અને પાસવર્ડ માંગી
લીધા હતા.
ઓઢવ રાજેન્દ્ર પાર્કની પાસે કૃષ્ણનગરની ચાલી ખાતે રહેતા સુનિલભાઈ વાઘેલા (ઉં.28)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત મંગળવારે તેના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારા શખ્સે એસ.બી.આઈ. બેન્કના મેનેજર તરીકેની ઓળખ આપી કહ્યું હતું કે, તમારું જન-ધન યોજાનાનું બેંક એકાઉન્ટ બંધ કરવું પડશે. તેમ કહી સુનિલભાઈ પાસેથી વેરિફિકેશનના નામે એટીએમ કાર્ડનો નંબર અને પાસવર્ડ મેળવી લઈ ઓન લાઈન 44 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. નોંધનીય છે કે, પીન નંબર માંગીને રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના અનેક બનાવો અમદાવાદીઓ સાથે બન્યાં છે. જો કે જનધન યોજના અંતર્ગત ખુલેલા એકાઉન્ટમાંથી આ રીતે ઠગાઈ થઈ હોવાનો પહેલો કિસ્સો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.
પોલીસે આ અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો