એપશહેર

રાજ્યભરમાં તોફાની ટોળાં સામે 50 ફરિયાદો નોંધાઇઃ ડીજીપી

I am Gujarat 22 Jul 2016, 2:06 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 50 17
રાજ્યભરમાં તોફાની ટોળાં સામે 50 ફરિયાદો નોંધાઇઃ ડીજીપી


દલિત યુવાનો પરના અત્યાચારના મુદ્દે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ઠેર ઠેર લોકોના ટોળાએ પથ્થરમારો કરી જાહેર મિલકતોને નુકસાન કર્યું હતું. રાજ્યના પોલીસવડા પી.પી.પાંડેયે રાજ્યભરમાં તોફાની ટોળા સામે જુદી જુદી 50 ફરિયાદો નોંધી હોવાનું જણાવ્યું હતું. ગેરકાયદેસર મંડળી રચવી, પોલીસ જાહેરનામાનો ભંગ કરવો તથા સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન કરવાના ગુના હેઠળ હવે પોલીસે ઠેરઠેર તોફાની તત્વોની ધરપકડ કરવાની પણ શરૂઆત કરી દીધી છે. પાંડેયે રાત્રે આઠ વાગ્યે યોજેલી પ્રેસ કોન્સફન્સમાં જણાવ્યું કે તોફાની તત્વો તોડફોડ કે લોકોને પરેશાની થાય તેવી હરકતો કરશે તો તેમની સામે પોલીસ ચોક્કસ કડક હાથે પગલાં લેશે.

શહીદ પોલીસકર્મીને સરકારી સહાય ચુકવાશે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અમરેલીના પોલીસકર્મી પંકજભાઇ અમરેલીયાના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય તે ચોક્કસ અપાશેે. સાથે સાથે જે પોલીસકર્મીઓ તેના પરિવારના સભ્યોને અર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તો તેની પણ સુવિધા કરાશે અને પોલીસ ખાતું તેમના પરિવાર સાથે જ છે તેમ ડીજીપી પાંડેયે જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો