એપશહેર

એક છોકરો તેની પત્નીને જોયા જ કરતો હતો, યુવકને ના ગમ્યું તો હત્યા કરી નાખી

શાકભાજીની દુકાનમાં કામ કરતો છોકરો પરિણીત યુવતીને સતત જોયા કરતો હતો જે તેના પતિને પસંદ નહોતું, પરિણામ ખરાબ આવ્યું

TNN 11 Dec 2020, 3:01 pm
બેંગ્લુરુઃ ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે તેના પાંચ મિત્રો સાથે મળીને તેની પત્નીને સતત જોયા જ કરતો અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરનારા છોકરાની હત્યા કરી દીધી છે. આ ગુનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
I am Gujarat a shopkeeper killed in bengaluru for stalking others wife
એક છોકરો તેની પત્નીને જોયા જ કરતો હતો, યુવકને ના ગમ્યું તો હત્યા કરી નાખી


આ ગુનામાં પોલીસે બાલાજી, અર્મુંગમ, મોહમ્મદ અલી, અબ્બાસ અલી છોટુ, સુર્યા અને સંતોષ તમામ ફૂડ પ્રોડક્ટ વહેંચતી એજન્સી સાથે કામ કરતા હતા, અને તેઓ થિપ્પાસન્દ્રા રહે છે તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમણે કથિત રીતે 29 નવેમ્બરના રોજ 25 વર્ષના રાજ દુરાઈની હત્યા કરવામાં આવી હતી અને તેની લાશને બીજી રાત્રે રામામુર્તિ નગરમાં ફેંકી દીધી હતી. રાજા પણ થિપ્પાસન્દ્રાનો રહેવાસી હતો, તે શાકભાજીની દુકાનમાં નોકરી કરતો હતો.

રાજાના ભાઈ માનિકાંથાએ પોતાનો ભાઈ ગુમ હોવાની ફરિયાદ જીવન બીમા નગર પોલીસ સ્ટેશનમાં 5 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન માનિકાંથાના ધ્યાને આવ્યું કે પોતાના ભાઈની બાલાજી સાથે બોલાચાલી થઈ હતી, જે તેની દુકાનની નજીકમાં આવેલી એક ફૂડ પ્રોડક્ટનું ડિસ્ટ્રિબ્યુશન કરતી એજન્સીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, પછી બાલાજી તેના ભાઈ રાજાને બાઈક પર લઈ ગયો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રાજાને બાલાજી દ્વારા તેને લિંગરાજપુરમમાં આવેલા ઘરે લઈ જવાયો હતો. આ પછી અન્ય આરોપીઓ ત્યાં એકઠા થઈ ગયા હતા અને રાજા સાથે દારુ પીધો હતો અને આ પછી તેની હત્યા કરી નાખવામાં આવી.

રાજાના ભાઈ માનિકાંથાએ આપેલી માહિતી પ્રમાણે પોલીસે બાલાજીની ધરપકડ કરી હતી. તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ આપેલા નિવેદનો પ્રમાણે પોલીસે તપાસ કરીને રાજાના મૃતદેહને શોધી કાઢ્યો. પોલીસે જણાવ્યું કે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાં હત્યા કઈ રીતે કરાઈ તે બાબત જાણી શકાશે.

પોલીસે જણાવ્યું છે, બાલાજીની પત્ની રાજા જે શાકભાજીની દુકાનમાં કામ કરતો હતો તેની નજીકમાં આવેલી અન્ય શાકભાજીની દુકાનમાં કામ કરતી હતી. રાજા બાલાજીની પત્નીને તેની સાથે લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યો હતો. રાજા તે પરિણીતાને અવાર-નવાર ફોન પણ કરતો હતો. આ અંગે મહિલાએ તેના પતિ (બાલાજી)નું ધ્યાન દોર્યું હતું કે રાજા દ્વારા તેને પરેશાન કરવામાં આવી રહી છે. બાલાજીએ રાજાને ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ તે વાતને સમજવા તૈયાર નહોતો. જેના કારણે બાલાજીએ તેના મિત્રો સાથે મળીને રાજાનું ઢીમ ઢાળી દીધું.

Read Next Story