એપશહેર

Shraddha Murder Case:શ્રદ્ધા કેસની હકીકત સામે લાવવા માટે આફતાબને નાર્કો ટેસ્ટ વખતે 100 સવાલો પૂછવામાં આવશે

Aaftab Poonawala Narco Test: આફતાબ પૂનાવાલાએ(Aaftab Poonawala) શ્રદ્ધા વૉકરની હત્યા કરીને જે કર્યું તે સામાન્ય માણસની સાથે પોલીસને પણ અચંબિત કરનારું છે. પોતે ગુનો સ્વીકાર્યા પછી સતત આફતાબ (Delhi Shraddha Murder Case) પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો છે. તેણે હત્યા બાદ લાશના ટૂકડાં ક્યાં નાખ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે દિલ્હી સહિત મુંબઈ અને ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલપ્રદેશની પોલીસ પણ જોડાઈ છે.

Edited byTejas Jingar | I am Gujarat 21 Nov 2022, 3:09 pm
નવી દિલ્હીઃ દિલ્હીના ચકચારી શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં આરોપી આફતાબ પૂનાવાલાનો(Aaftab Poonawala Narco Test)આજે નાર્કો ટેસ્ટ થાય તે પહેલા પોલીગ્રાફી એટલે કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવશે. કહેવાય છે કે પોલીગ્રાફી ટેસ્ટ FSL રોહિણીમાં અને નાક્રો ટેસ્ટ આંબેડકર હોસ્પિટલમાં પોલીસ, ડૉક્ટર, મનોવૈજ્ઞાનિક અને FSLના એક્સપર્ટ જોડાશે, જે દરમિયાન આફતાબને 100 જેટલા સવાલો પૂછવામાં આવશે. કોર્ટે 17 નવેમ્બરે આરોપીનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. આ કેસમાં દિલ્હી સહિત હરિયાણા, મુંબઈ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની પોલીસ પુરાવા શોધવા માટે મથી રહી છે. આફતાબે પોલીસને જણાવ્યું કે તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડાં કરી નાખ્યા હતા. આ પછી તેણે ટૂકડાં અલગ-અલગ જગ્યાઓ પર નાખી દીધા હતા. તને શ્રદ્ધાના(Shraddha Murder Case) માથાનો ભાગ સહિત કેટલાક ટૂંકડા છતરપુર વિસ્તારમાં એક તળાવમાં પણ નાખ્યા હતા. હવે આ વિશાળ તળાવમાંથી પણ પુરાવા એકઠા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
I am Gujarat Aaftab Poonawala narco test
આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ


રવિવારે આ તળાવે 200 જેટલા પોલીસકર્મી પહોંચ્યા હતા અને તેમણે તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી કશું જ સામે આવ્યું નથી. આરોપીના નાર્કો અને પોલીગ્રાફી સહિતના ટેસ્ટ થશે તેના આધારે કેટલીક વધુ વિગતો જાળવા મળી શકે છે.

પોલીગ્રાફી ટેસ્ટ શું હોય છે?
આ ટેસ્ટમાં આફતાબના મગજ, હૃદય અને શરીરનના કેટલાક ભાગને મશીન સાથે જોડવામાં આવે છે. જે સવાલનો જવાબ તે ખોટો આપે તો તેના શરીરમાં થતા ફેરફારના આધારે તે ખ્યાલ આવી જાય છે. જ્યારે વ્યક્તિ સવાલનો ખોટો જવાબ આપે ત્યારે તેમાંથી P-300 સિગ્નલ મળતું હોય ચે. જેનાથી ખ્યાલ આવે છે કે આરોપી ખોટું બોલે છે. P-300 સિગ્નલથી ફોરેન્સિક એક્સપર્ટ આરોપી પાસેથી કયા સવાલનો જવાબ જાણવાનો જરૂરી છે તેને ધ્યાનમાં રાખે છે.

આ પછી નાર્કો ટેસ્ટ દરમિયાન ફરીથી તે સવાલ પૂછવામાં આવે છે. આ જ રીતે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ થયા પછી નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને તેને વિવિધ સવાલો પૂછવામાં આવશે. આફતાબને 100 જેટલા સવાલ પૂછવામાં આવશે તેમ માનવામાં આવે છે.

આફતાબને આ સવાલો પૂછવામાં આવશે
  • શું તું શ્રદ્ધા વૉકરને જાણે છે? શું એ તરી ગર્લફ્રેન્ડ હતી?
  • મુંબઈ છોડ્યા બાદ તમે લોકો ક્યાં ગયા હતા?
  • તમે લોકો અચાનક દિલ્હી કેમ શિફ્ટ થઈ ગયા?
  • તું અને શ્રદ્ધા ક્યારે રિલેશનશિપમાં આવ્યા, શું તું એને પ્રેમ કરતો હતો?
  • શું તમારી વચ્ચે ઝઘડો થતો હતો કે તે શ્રદ્ધા સાથે મારપીટ કરી હતી?
  • શ્રદ્ધાને તે છેલ્લીવાર ક્યારે જોઈ હતી?
  • શું તું જાણે છે કે શ્રદ્ધા હાલ ક્યાં છે?
  • શું તે શ્રદ્ધાની હત્યા કરી છે?
  • તે શ્રદ્ધાને ક્યારે મારી નાખી?
  • તે શ્રદ્ધાની કેમ હત્યા કરી?
  • તે શ્રદ્ધાની કેવી રીતે હત્યા કરી અને શું તે તેનું ગળુ દબાવ્યું હતું?
  • શું તે તેની બોડીના ટૂકડા કર્યા હતા, આ ટૂકડા ક્યાં ફેંક્યા?
  • શરીરના ટૂકડા ફેંકવા માટે તે કેટલા આંટા માર્યા હતા?
  • શું તે ડ્રગ્સ લીધું હતું?
  • શું તું ચરસ પીવે છે?
  • શું તે મર્ડરના દિવસે ચરસ કે ડ્રગ્સ લીધુ હતુ?
  • શું તે હત્યા પહેલાં શ્રદ્ધાને નશીલો પદાર્થ આપ્યો હતો?
  • શું તને શ્રદ્ધાની યાદ આવે છે, શું તું પોતાની જાતને દોષિત માને છે?
  • મર્ડર કર્યા બાદ તે ફ્લેટને કેવી રીતે સાફ કર્યો?
  • શ્રદ્ધાની હત્યા બાદ તે કેટલી છોકરીઓને ડેટ કરી?

Read Next Story