એપશહેર

ધરપકડ કરાયેલા IAS અધિકારીના પુત્રનું ગોળી વાગવાથી મોત, પોલીસે કહ્યું- આત્મહત્યા

આ કેસની તપાસના સંદર્ભમાં એક વિજિલન્સ ટીમ પોપલીના ઘરે આવી હતી અને ઘટના સમયે હાજર હતી એમ પાડોશી અને પરિવારજનોએ મીડિયાને જણાવ્યું હતું. IAS સંજય પોપલીની પત્નીએ મીડિયાને જણાવ્યું હતું કે, વિજિલન્સ અધિકારીઓ અમારા પર દબાણ કરી રહ્યા હતા અને તેઓએ નોંધાયેલા કેસના સમર્થનમાં ખોટા નિવેદનો આપવા માટે તેઓ મારી ઘરેલુ નોકરને પણ ત્રાસ આપતા હતા. મારો 27 વર્ષનો દીકરો મરી ગયો છે, તે એક તેજસ્વી વકીલ હતો અને પોલીસે તેને છીનવી લીધો છે.

Edited byદીપક ભાટી | TNN 25 Jun 2022, 11:31 pm
ચંડીગઢ: તાજેતરમાં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા IAS અધિકારી સંજય પોપલીના 27 વર્ષીય પુત્રનું ગોળી વાગવાતી મોત થયું છે. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે આ આત્મહત્યા છે પરંતુ પરિવાર દ્વારા ખોટી રમતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ વિજિલન્સ બ્યુરોએ આ સપ્તાહની શરૂઆતમાં IAS અધિકારી સંજય પોપલીની નવાશહેરમાં સીવરેજ પાઈપલાઈન નાખવાના ટેન્ડર ક્લિયર કરવાના બદલામાં કથિત રીતે લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરી હતી.
I am Gujarat Arrested IAS officers son dies of bullet wound
ધરપકડ કરાયલા IAS ઓફિસરના પુત્રનું ગોળી વાગતા મોત


ચંદીગઢના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કુલદીપ સિંહ ચહલે કહ્યું કે સમગ્ર મામલે તપાસ કર્યા પછી એવું સામે આવ્યું છે કે 27 વર્ષીય યુવકે પોતાને ગોળી મારી લીધી છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે. વધુમાં એસએસપીએ જણાવ્યું હતું કે, ઘટનામાં લાઇસન્સવાળી પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કેસની તપાસના સંદર્ભમાં એક વિજિલન્સ ટીમ પોપલીના ઘરે આવી હતી અને ઘટના સમયે હાજર હતી એમ પાડોશી અને પરિવારજનોએ મીડિયાને જણાવ્યું હતું. IAS સંજય પોપલીની પત્નીએ મીડિયાને જણાવ્યું હતું કે, વિજિલન્સ અધિકારીઓ અમારા પર દબાણ કરી રહ્યા હતા અને તેઓએ નોંધાયેલા કેસના સમર્થનમાં ખોટા નિવેદનો આપવા માટે તેઓ મારી ઘરેલુ નોકરને પણ ત્રાસ આપતા હતા. મારો 27 વર્ષનો દીકરો મરી ગયો છે, તે એક તેજસ્વી વકીલ હતો અને પોલીસે તેને છીનવી લીધો છે.

ખોટો કેસ કરવા તેઓએ મારો પુત્ર કાર્તિક પોપલી છીનવી લીધો છે તેમ સંજય પોપલીની પત્નીએ તેના પુત્રના હાથ પર લોહીના ડાઘ બતાવતા જણાવ્યું હતું. મને ન્યાય જોઈએ છે. હું કોર્ટમાં જઈશ, મહિલા વારંવાર રડતી તેવું કહેતી કે, મારા પુત્રની હત્યા કરવામાં આવી છે. મહિલાએ કહ્યું કે, ભગવંત માને જવાબ આપવો જોઈએ.

તેણીએ કહ્યું કે તેના પતિ સંજય કોર્ટમાં હાજર થવાના હતા અને વિજિલન્સની ટીમ તેમના ઘરે આવી હતી. વિજિલન્સના લોકો કાર્તિકને ઉપરના માળે લઈ ગયા અને જ્યારે હું ઉપર ગઈ ત્યારે તેઓ મારા પુત્રને માનસિક ત્રાસ આપતા હતા. તેણીએ ઉમેર્યું હતું કે, અમારા મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા.

પોપલી પરિવારની પાડોશી અને કૌટુંબિક મિત્ર 51 વર્ષીય મહિલાએ આક્ષેપ કર્યો હતો કે સંજય પોપલી પર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે તેઓ તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાથે સંમત થાય. કાર્તિક પોપલીને પણ કલાકો સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો