એપશહેર

બહેનના પ્રેમ લગ્નથી નારાજ હતો ભાઈ, સરાજાહેર કરી નાખી જીજાજીની હત્યા

રંજન કુમાર બાઇક પર દુકાને જઈ રહ્યા હતા. રસ્તામાં નિર્ભીક ગુનેગારોએ તેને ઘરથી થોડા અંતરે ગોળી મારીને મારી નાખ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ગુનેગારોએ રંજનને ચાર ગોળી મારી હતી. તે જ સમયે ઘટનાની માહિતી પર હાજીપુરના સદર એસડીપીઓ રાઘવ દયાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને લાશને પીએમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ઘરી હતી.

Edited byદીપક ભાટી | Navbharat Times 1 Jul 2022, 9:46 pm
વૈશાલીઃ બિહારના વૈશાલીમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક ભાઈએ બહેનના પતિની ગોળી મારીને હત્યા (Murder In Vaishali)કરી નાખી. આ મામલો પ્રેમ પ્રકરણ (Murder In Love Affair)નો હોવાનું કહેવાય છે. ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના હાથસરગંજ વિસ્તારની છે. હાલ તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
I am Gujarat Bihar Crime News
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ


મળતી માહિતી મુજબ મૃતક રંજન કુમાર બાઇક પર દુકાને જઈ રહ્યા હતા. રસ્તામાં નિર્ભીક ગુનેગારોએ તેમને ઘરથી થોડા અંતરે ગોળી મારીને હત્યા કરી હતી.કહેવામાં આવી રહ્યું છે કે ગુનેગારોએ રંજનને ચાર ગોળી મારી હતી. તે જ સમયે ઘટનાની માહિતી પર હાજીપુરના સદર એસડીપીઓ રાઘવ દયાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરતા ઘટનાસ્થળેથી કારતૂસ પણ મળ્યા છે.

પિતરાઈ ભાઈ સાથે લગ્ન કર્યા
મૃતકની પત્નીએ જણાવ્યું કે, તેણે 5 વર્ષ પહેલા રંજન કુમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે સંબંધમાં પિતરાઈ ભાઈ હોવાનું જણાતું હતું. મૃતકની પત્નીના કહેવા મુજબ તેનો ભાઈ આ લગ્નનો વિરોધ કરતો હતો. લગ્ન બાદ તે તેના બે બાળકો સાથે અલગ રહેતી હતી. તેણે જણાવ્યું કે તે એક વર્ષ પહેલા જ હાથસરગંજ વિસ્તારમાં આવી હતી. તેનો પતિ હાજીપુરમાં જ હાર્ડવેરની દુકાનમાં કામ કરતો હતો. શુક્રવારે, તે દુકાને જવા માટે તેની બાઈક લઈને નીકળ્યો જ હતો ત્યારે બાઇક પર સવાર હત્યારાઓએ ઘરથી થોડે દૂર અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો હતો.

પોલીસે હાથ ધરી તપાસગોળીબારનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગુનેગારો નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક લોકો તેને હાજીપુર સદર હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને સારી સારવાર માટે પીએમસીએચ પટનામાં રિફર કરવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટના પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story