એપશહેર

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: CBIએ ચાર પોલીસકર્મીની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો

શિવાની જોષી | TNN 22 Sep 2019, 10:15 am
અમદાવાદ: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ શનિવારે સ્થાનિક સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે, 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસના 4 આરોપી પોલીસકર્મીઓ સામે કાયદેસર પગલાં લેવા માટે ગુજરાત સરકારની મંજૂરી લેવી જરૂરી નથી. આઈપીએસ ઓફિસર જી. એલ. સિંઘલ, નિવૃત્ત DySP તરુણ બારોટ અને જે. જી પરમાર તેમજ કોન્સ્ટેબલ અનાજુ ચૌધરી સામે ફોજદારી કાર્યવાહી બંધ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેના જવાબ CBIએ આ વાત કહી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો આ ચારેય પોલીસકર્મીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં તેમણે નિવૃત્ત DIG ડી. જી. વણઝારા અને નિવૃત્ત SP એન. કે. અમીનની જેમ જ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી હતી. ડી. જી. વણઝારા અને એન. કે. અમીન સામે રાજ્ય સરકારે કાયદાકીય કાર્યવાહીની મંજૂરી ના આપતા કાર્યવાહી પડતી મૂકાઈ હતી. CBIએ ભારપૂર્વક કહ્યું કે, ચારેય પોલીસકર્મીઓ સામે હત્યા, ગુનાહિત ષડયંત્ર, અપહરણ અને ગેરકાયદે રીતે ગોંધી રાખવાનો ગુનો નોંધાયેલો છે. અને આ તમામ બાબતો તેમની ડ્યૂટીમાં આવતી નથી. માટે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. CBIએ કોર્ટમાં કહ્યું કે, વણઝારા અને અમીન સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી કારણકે તે કોર્ટનો આદેશ હતો. પરંતુ આ ચારેય આરોપી પોલીસકર્મીઓના કિસ્સામાં કોર્ટે આ પ્રકારનો કોઈ આદેશ પ્યો નથી. CBIએ કહ્યું કે. કોર્ટે વણઝારા અને અમીનના કેસની જેમ આ ચારેય પોલીસકર્મીના કેસને ના જોવો જોઈએ. આ ચારેય પોલીસકર્મીઓની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતાં CBIએ કોર્ટનો ઓગસ્ટ 2018નો આદેશ રજૂ કર્યો. જેમાં તેમણે વણઝારા અને અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર નહોતી કરી અને કાયદાકીય કાર્યવાહી માટે CBIને રાજ્ય સરકારની મંજૂરી લેવાનો આદેશ આપ્યો હતો. પૂર્વ ઈન-ચાર્જ ડીજીપી પી. પી. પાંડેય સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓને ડિસ્ચાર્જ મળ્યું છે. ત્યારે આ ચાર પોલીસકર્મીઓ સામે ઈશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ, અમજદ અલી રાણા અને જિશાન જોહરની હત્યાના કેસમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. 15 જૂન 2004ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરના બહારના વિસ્તારમાં તેમની પર ગોળીબાર કર્યો હતો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story