નવગુજરાત સમય > અમદાવાદ
– પોતાના માટે સહારો હતો તેવો થલતેજનો વડીલોપાર્જિત પ્લોટ જેઠ અને અન્ય સભ્યોએ બારોબાર વેચી નાંખ્યાની ફરિયાદ વિધવા ભાભીએ પોલીસમાં નોંધાવી છે. આક્ષેપાત્મક ફરિયાદમાં જણાવાયું છે કે, થલતેજ તલાટી-મંત્રીની કચેરી અને બોપલ રજિસ્ટ્રાર કચેરી ખાતે ‘પેઢીનામા’માં પતિ પરીક્ષિતભાઈ પાધ્યા અને તેમના પરિવારના સભ્યોના નામ નહીં બતાવીને પ્લોટ ~ ૧.૨૧ કરોડમાં વેંચી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આરોપી તરીકે જેઠ સહિત પરિવારના છ સભ્યોને નામ આપવામાં આવ્યાં છે. સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યુ રાણીપમાં રહેતા જાગૃતિબહેન પરીક્ષિતભાઈ પાધ્યાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સસરા મધુસુદનભાઈ પુરૂષોત્તમભાઈ પાધ્યાએ ૧૯૯૫ આસપાસ થલતેજ ગામની સીમમાં સ્વાગત પાર્ક તરીકે ઓળખાતી સુશ્રુષા કો.ઓ.હા.સો.લી.ની સ્કીમમાં પ્લોટ નંબર ૩૧ ખરીદ્યો હતો. ૩૬૦ ચોરસવાર એટલે કે ૩૦૧ ચો.મી.નો પ્લોટ સસરા મધુસુદનભાઈ પાધ્યાનો હતો. તા. ૨૫-૩-૨૦૧૨ના રોજ સસરાનું અવસાન થતાં સીધી લીટીના વારસદાર તરીકે સાસુ શારદાબહેન, જેઠ સુરેશભાઈ, નણંદ રસીલાબહેનના દીકરી સીમાબહેન, વિધવા ફરિયાદી જાગૃતિબહેન, તેમના દીકરી નિધી, દિયર કૌશિકભાઈ, દિયર હિમાંશુભાઈ અને નણંદ નીતાબહેન થતા હતા. પ્લોટનો કબજો જેઠ સુરેશભાઈ મધુસુદનભાઈ પાધ્યા પાસે હતો. પરંતુ, આ પ્લોટ ફરિયાદી માટે વડીલોપાર્જિત મિલકતનો સહિયારો હતો.
ફરિયાદમાં જણાવાયા મુજબ, જુન-૨૦૧૬માં સાસુના ઘરે સેટેલાઈટમાં રોકાવા ગયા ત્યારે જેઠ સુરેશભાઈના પુત્ર ચિરાગભાઈએ જાણ કરી હતી કે, થલતેજવાળો પ્લોટ પિતાએ પેઢીનામું બનાવી વેંચ્યો છે. RTI કરી વિગતો મેળવતા સાસુ, નણંદ રસિલાબહેનના દીકરી સીમાબેન, બે દિયર અને નણંદ નીતાબહેને બિનઅવેજી હક ઉઠાવી લેવાનો દસ્તાવેજ કરી આપ્યાનું જણાયું હતું. પણ, પેઢીનામામાં જાગૃતિબહેન કે તેમના પતિ, પુત્રીનું નામ બતાવ્યું નહોતું. હકીકત છૂપાવી ખોટું પેઢીનામાના આધારે મધુસુદનભાઈ પાધ્યાના અન્ય કોઈ વારસદાર નથી તેવું લખી બિનઅવેજી હક્ક ઉઠાવી લેવાનો ખોટો દસ્તાવેજ બનાવી જેઠ સુરેશભાઈ પાધ્યાને આ પ્લોટ વેચી દેવામાં મદદગારી કરી છે. આ પ્લોટ સુરેશકુમાર મધુસુદન પાધ્યાએ શીલજમાં રહેતા તેજસ મુકેશભાઈ પટેલ અને મુકેશભાઈ માણેકભાઈ પટેલને ~ 1,21,04,000માં વેચાણ આપી દીધો હતો તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. આ પ્રકારે પ્લોટ બારોબાર વેચી મારી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખોટા દસ્તાવેજો બનાવી તેનો બોપલ રજિસ્ટ્રાર કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.
– પોતાના માટે સહારો હતો તેવો થલતેજનો વડીલોપાર્જિત પ્લોટ જેઠ અને અન્ય સભ્યોએ બારોબાર વેચી નાંખ્યાની ફરિયાદ વિધવા ભાભીએ પોલીસમાં નોંધાવી છે. આક્ષેપાત્મક ફરિયાદમાં જણાવાયું છે કે, થલતેજ તલાટી-મંત્રીની કચેરી અને બોપલ રજિસ્ટ્રાર કચેરી ખાતે ‘પેઢીનામા’માં પતિ પરીક્ષિતભાઈ પાધ્યા અને તેમના પરિવારના સભ્યોના નામ નહીં બતાવીને પ્લોટ ~ ૧.૨૧ કરોડમાં વેંચી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આરોપી તરીકે જેઠ સહિત પરિવારના છ સભ્યોને નામ આપવામાં આવ્યાં છે. સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યુ રાણીપમાં રહેતા જાગૃતિબહેન પરીક્ષિતભાઈ પાધ્યાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સસરા મધુસુદનભાઈ પુરૂષોત્તમભાઈ પાધ્યાએ ૧૯૯૫ આસપાસ થલતેજ ગામની સીમમાં સ્વાગત પાર્ક તરીકે ઓળખાતી સુશ્રુષા કો.ઓ.હા.સો.લી.ની સ્કીમમાં પ્લોટ નંબર ૩૧ ખરીદ્યો હતો. ૩૬૦ ચોરસવાર એટલે કે ૩૦૧ ચો.મી.નો પ્લોટ સસરા મધુસુદનભાઈ પાધ્યાનો હતો. તા. ૨૫-૩-૨૦૧૨ના રોજ સસરાનું અવસાન થતાં સીધી લીટીના વારસદાર તરીકે સાસુ શારદાબહેન, જેઠ સુરેશભાઈ, નણંદ રસીલાબહેનના દીકરી સીમાબહેન, વિધવા ફરિયાદી જાગૃતિબહેન, તેમના દીકરી નિધી, દિયર કૌશિકભાઈ, દિયર હિમાંશુભાઈ અને નણંદ નીતાબહેન થતા હતા. પ્લોટનો કબજો જેઠ સુરેશભાઈ મધુસુદનભાઈ પાધ્યા પાસે હતો. પરંતુ, આ પ્લોટ ફરિયાદી માટે વડીલોપાર્જિત મિલકતનો સહિયારો હતો.
ફરિયાદમાં જણાવાયા મુજબ, જુન-૨૦૧૬માં સાસુના ઘરે સેટેલાઈટમાં રોકાવા ગયા ત્યારે જેઠ સુરેશભાઈના પુત્ર ચિરાગભાઈએ જાણ કરી હતી કે, થલતેજવાળો પ્લોટ પિતાએ પેઢીનામું બનાવી વેંચ્યો છે. RTI કરી વિગતો મેળવતા સાસુ, નણંદ રસિલાબહેનના દીકરી સીમાબેન, બે દિયર અને નણંદ નીતાબહેને બિનઅવેજી હક ઉઠાવી લેવાનો દસ્તાવેજ કરી આપ્યાનું જણાયું હતું. પણ, પેઢીનામામાં જાગૃતિબહેન કે તેમના પતિ, પુત્રીનું નામ બતાવ્યું નહોતું. હકીકત છૂપાવી ખોટું પેઢીનામાના આધારે મધુસુદનભાઈ પાધ્યાના અન્ય કોઈ વારસદાર નથી તેવું લખી બિનઅવેજી હક્ક ઉઠાવી લેવાનો ખોટો દસ્તાવેજ બનાવી જેઠ સુરેશભાઈ પાધ્યાને આ પ્લોટ વેચી દેવામાં મદદગારી કરી છે. આ પ્લોટ સુરેશકુમાર મધુસુદન પાધ્યાએ શીલજમાં રહેતા તેજસ મુકેશભાઈ પટેલ અને મુકેશભાઈ માણેકભાઈ પટેલને ~ 1,21,04,000માં વેચાણ આપી દીધો હતો તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. આ પ્રકારે પ્લોટ બારોબાર વેચી મારી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખોટા દસ્તાવેજો બનાવી તેનો બોપલ રજિસ્ટ્રાર કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.