એપશહેર

ચિરિપાલમાં ફરી અકસ્માત દીવાલ પડતા મજૂરનું મોત

I am Gujarat 4 Jul 2016, 12:18 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 530
ચિરિપાલમાં ફરી અકસ્માત દીવાલ પડતા મજૂરનું મોત


નારોલ ખાતે આવેલી ચિરિપાલ મિલમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. આ વખતે આગ નહીં પરંતુ દીવાલ પડતા બે મજૂર દટાયા હતા, જે પૈકી એક મજૂરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજા સગીર વયના મજૂરને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા દોડી ગયેલા ફાયરના જવાનોએ કાટમાળ ખસેડી બન્ને મજૂરોને બહાર કાઢ્યાં હતા.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે બપોરે 1 વાગ્યે નારોલ ખાતે આવેલી ચિરિપાલ મિલમાં એક નિર્માણાધીન દીવાલ તૂટી પડી હતી. આ ઘટનામાં કામ કરી રહેલી સુરેશભાઈ (ઉં. 21) તથા પપ્પુભાઈ (ઉં.16) દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ કાટમાળ ખસેડી બન્નેને એમ્બ્યુલન્સ દ્વારા એલ.જી હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન સુરેશભાઈનું મોત થયું હતું. આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત મોત અંગે નોંધ લઈ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ચિરિપાલ મિલ એ અમદાવાદ ફાયર બ્રિગેડ માટે હવે જાણીતુ નામ બની ગયું છે, કારણ પાછલા કેટલાક વર્ષોથી આ મિલમાં વર્ષે એકાદ વાર આગની ઘટના બનતી રહેતી હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો