એપશહેર

હિતેષ ઝવેરી હત્યા કેસ: સાત ડોક્ટરોની જુબાની લેવાઈ

I am Gujarat 6 Jul 2016, 1:22 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 536
હિતેષ ઝવેરી હત્યા કેસ: સાત ડોક્ટરોની જુબાની લેવાઈ


– શહેરના શિવરંજની વિસ્તારમાં હિતેષ ઝવેરીની હત્યા કરી ૧.૧૦ કરોડની લૂંટ કરવાના કેસમાં સરકારી વકીલોએ સાત તબીબોની દિવસભર જુબાની લીધી હતી. આ તમામ તબીબોએ ફિટ જુબાની આપી હતી ઉપરાંત એફએસએલ અધિકારીની જુબાની પણ લેવાઇ હતી. આ મામલે હવે સાત જુલાઇના રોજ સુનાવણી યોજવામાં આવશે. હિતેષ ઝવેરી હત્યા-લૂંટ કેસમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અકીલઅહેમ અબ્દુલકરીમ જોહાજુ (રહે. ગામ કુલસેના, બુલંદશહેર, યુ.પી), કફીલઅહેમદ અબ્દુલકરીમ જોહજે(ગૌતમવિહાર, દિલ્હી), જાબુર રહેમાન ઉર્ફે રહેમાન મકબુલઅહૈમદ શેખ (જુહાપુરા અમદાવાદ)ની ધરપકડ કરી હતી.જેમાં મોકલી આપ્યા છે ત્યારે આરોપીઓ સામે બીજા બે કેસ પણ ખુલ્યા હતા અને ત્રણે કેસ સાથે ચલાવવાનો આદેશ કોર્ટે કર્યો છે. જેમાં સૌથી પહેલાં હિતેષ ઝવેરી હત્યા કેસમાં સોલા સિવિલ, વીએસ અને ખાનગી હોસ્પિટલના તબીબોને જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ જે.સી.પટેલે તબીબોની જુબાની લીધી હતી. જેમાં તબીબોએ જણાવ્યું હતું કે, મૃતકના શરીર પર તાજી ઇજા હતા, શબર પરીક્ષના ચાર કલાક પહેલાં તેમનું મૃત્યુનું તારણ આવે છે, મૃતકને ત્રણ ગોળીઓ વાગી હતી જો કે, તમના શરીરમાંથી બે બુટેલ મળી આવી હતી, ઉપરાંત શરીરમાં ગોળી વાગવા-લોહી વહેવાથી મોત થયું હતું, ઉપરાંત આરોપીના ઘરેથી મળેલા હથિયાર અંગે એફએસએલ અધિકારીએ જુબાની આપી હતી. ઉલ્લેખનીય છે કે, હિતેષ ઝવેરી હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓએ પોતાની સુઝબુઝ વાપરી પહેલાં બે સામાન્ય કેસ હતા તે ચલાવી લીધા હતા પરંતુ મુખ્ય સરકારી વકીલને આ મુદ્દો ધ્યાને આવતા તેમણે આ મામલે પ્રિન્સિપલ જજને જાણ કરી હતી. જેથી ત્રણે કેસ એક સાથે ચલાવવા આદેશ થયો હતો. જેમાં સૌથી પહેલાં હિતેષ ઝવેરી હત્યા કેસ પુરો કરવા કોર્ટે નિર્દોષ આપ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો