એપશહેર

રિક્ષાની ટક્કરે યુવકનું મોત મૃતદેહ ચાર કલાક રઝળ્યો!

I am Gujarat 27 Feb 2016, 2:31 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 859
રિક્ષાની ટક્કરે યુવકનું મોત મૃતદેહ ચાર કલાક રઝળ્યો!


વટવા જીઆઈડીસી રોડ પરના રામોલ ચાર રસ્તા નજીક શુક્રવારે બપોરે રિક્ષાની ટક્કરે એક બાઈકચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. પુરપાટ દોડતી રિક્ષા બાઈક ચાલકને ટક્કર માર્યા બાદ પલટી જતા સામેથી આવતી બીજી રિક્ષાને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની ગોકળગતિની કામગીરીને પગલે મૃતદેહ ચાર કલાક રઝળ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, ફેક્ટરીમાં કામ કરતો યુવક બપોરે બાઈક લઈને જમવા નીકળ્યો ત્યારે કાળ તેને કોળીયો કરી ગયો હતો.
ટીહાભાઈએ ટ્રાફિકના જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના જમાઈ મહેશભાઈ કનુભાઈ તાવિયાડ (ઉં.૩૦) બપોરે જમવા નીકળ્યાં હતા. રામોલ ચાર રસ્તાથી આગળ BSNL ઓફિસ નજીકથી પાછળથી પુરપાટ ઝડપે આવેલી એક રિક્ષાએ તેમના બાઈકને ટક્કર મારી પલટી ગઈ હતી. રિક્ષા મહેશભાઈ પર પડતા તે ચગદાઈ ગયા હતા અને માથામાં ગંભીર ઈજાના કારણે સ્થળ પર જ તેમનું મોત થયું હતું. જ્યારે રિક્ષા પલટી ત્યારે સામેથી આવતી બીજી રિક્ષા સાથે ટકરાઈ હતી, જેના ચાલકને પણ ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો. સામાજિક કાર્યકર હર્ષદ પટેલનું કહેવું છે કે, આ સ્ટેટ હાઈવે પર ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ ન હોઈ આંતરે દિવસે અકસ્માત સર્જાય છે અને કોઈને કોઈનું મોત નિપજવાની ઘટનાઓ બને છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો