અમદાવાદઃ શહેરની સાઈબર સેલ પોલીસે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં નવી દિલ્હીના ભજનપુરામાંથી પિતા-પુત્રની ધરપકડ કરી છે. સેટેલાઈટના અસવારી ટાવર્સમાં રહેતા કાપડ વેપારી પ્રતાપ અવતાણીએ પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે પ્રાઈવેટ બેંકમાં ટેલીકોલર તરીકે કામ કરતા બ્રિજેશ ગિરિ અને તેના દીકરા સૌરભ ગિરિની ધરપકડ કરી છે. બંનેને પ્રાઈવેટ બેંકમાં કામ કરતા સમયે પીડિતનો ફોન નંબર મળ્યો હતો. અવતાણીએ મામલે 24 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:પ્રતાપ અવતાણીની ફરિયાદ મુજબ, તેમને ઈન્શ્યોરન્સ પોલિસી અને વધુ રિટર્નની લાલચે રોકાણ માટે કહી તેમની પાસેથી માર્ચ 2016થી ડિસેમ્બર 2019 સુધીમાં 11,06,71,824 રૂપિયા પડાવા હતા. આ માટે તેમને પૈસાનું રિટર્ન વધીને 38 કરોડ રૂપિયા મળશે એવી લાલચ અપાઈ હતી.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજદીપસિંહ ઝાલાએ કહ્યું, આ પૈસા 52 બેંકોમાં 167 ટ્રાન્ઝેક્શન દ્વારા પાછલા ત્રણ વર્ષોમાં મોકલાયા હતા. આ કેસમાં 196 ખાતા ધારકો સાથે 96 બીજા આરોપીઓ છે, જેમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાયા હતા. અમે તેમને શોધી રહ્યા છીએ. અમને શંકા છે કે આ પિતા-પુત્રની જોડીએ શહેરમાંથી અન્ય ઘણા લોકોને છેતર્યા હોઈ શકે છે. અમે બેંકને પત્ર લખીને તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા છે તેવા એકાઉન્ટને ફ્રીઝ કરવા જણાવ્યું છે.સાઈબર સેલના અધિકારી મુજબ, પિતા-પુત્રની ઠગ જોડીએ અવતાણીને વધુ રિટર્નની લાલચ આપીને ઈન્શ્યોરન્સ પોલિસી અને અન્ય જગ્યાએ પૈસા રોકવા કહ્યું હતું. તપાસ દરમિયાન અમને અવતાણી પાસેથી ફોન નંબર લઈ આરોપીઓના ફોનને ટ્રેસ કર્યા હતા. આ ફોન કોલ નવી દિલ્હીના ભજનપુરામાં ટ્રેસ થયા હતા. અમે દિલ્હીમાં એક ટીમ મોકલી અને દિલ્હી પોલીસની મદદથી બંનેને પકડી લીધા.સાઈબર સેલના સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓએ અવતાણી પાસેથી પડાવેલા પૈસા પોતાના સંબંધીઓના બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધા હતા. ઉપરાંત આરોપીઓએ ગોરખપુર, મુરાદાબાદ, ફરિદાબાદ, જલંધર, દિલ્હી, હરિયાણા, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, ઈટાવા અને પ્રયાગરાજ બેંકના એકાઉન્ટ્સનો પણ ઉપયોગ કર્યો હતો. આ તપાસમાં હવે યુપી પોલીસ પણ જોડાઈ ગઈ છે.આ પણ જુઓઃ ચીનમાં કોરોના વાયરસના દર્દીઓ કરી રહ્યા છે આવી વિચિત્ર હરકતો