એપશહેર

Shraddha Murder: 'શ્રદ્ધા કો બોલો મુઝે કૉલ કરે', હત્યાના 4 મહિના સુધી દોસ્તો સાથે આવી ગેમ રમતો રહ્યો આફતાબ

Shraddha Murder Case : શ્રદ્ધા હત્યાકાંડમાં આરોપી આફતાબને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. શ્રદ્ધાની હત્યા બાદ ચાર મહિના સુધી આફતાબ દોસ્તોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. શ્રદ્ધા તેની સાથે રહેતી નથી અને વાતચીત થઈ રહી નથી હોવાનો ડોળ આફથાબે કર્યો હતો. મિત્રોને ચેટ કરીને કહેતો હતો કે શ્રદ્ધાને કહો મારી સાથે વાતચીત કરે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 23 Nov 2022, 5:32 pm

હાઈલાઈટ્સ:

  • હત્યા બાદ આફતાબ મિત્રોને ગેરમાર્ગે દોરતો રહ્યો
  • કહેતો હતો કે, શ્રદ્ધાને કહો મને કોલ કરે અને વાત કરે
  • મિત્રએ આ ચેટ મુંબઈ પોલીસને આપી, નિવેદન પણ લેવાયુ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat delhi shraddha murder case
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ ચાલાકી વાપરવા લાગ્યો અને ચાર મહિના સુધી દોસ્તોને ગેરમાર્ગે દોરતો રહ્યો.
નવી દિલ્હીઃ શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે શ્રદ્ધાની હત્યાના(Shraddha Murder) ચાર મહિના પછીની આફતાબની દોસ્તો સાથે ઈન્સ્ટાગ્રામ ચેટ સામે આવી છે. જેમાં તે દોસ્તોને શ્રદ્ધાના મર્ડરને લઈને ગેરમાર્ગે દોરતો હોવાનું સામે આવ્યું છે. ચેટમાં તે દોસ્તોને એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે શ્રદ્ધા તેની સાથે રહેતી નથી અને એના વિશે તે કંઈ પણ જાણતો નથી. આફતાબની(Aftab Poonawalla) પોતાના દોસ્ત સાથે જે ઈન્સ્ટાગ્રામ ચેટ સામે આવી છે તે ગયા સપ્ટેમ્બર મહિનાની છે. આ ચેટમાં આફતાબ શ્રદ્ધા અને પોતાના કોમન ફ્રેન્ડ સાથે વાતચીત કરી રહ્યો છે. આફતાબ તરફથી મેસેજ કરવામાં આવ્યા હતા કે, ભાઈ કૈસે હો. કહાં હો. તુમસે બાત કરના ચાહતા હૂં. શ્રદ્ધા કો બોલો કિ મુઝે કૉલ કરે. આ ચેટ બાદ બંને વચ્ચે 17 મિનિટ અને 33 સેકન્ડની વાતચીત થાય છે.
દોસ્તે પોલીસને આપી ચેટ
આ ચેટ શ્રદ્ધા અને આફતાબના એક કોમન દોસ્તે મુંબઈ પોલીસને આપી છે. પોલીસે આ કોમન ફ્રેન્ડનું નિવેદન પણ નોંધ્યું છે. તો શ્રદ્ધાના એક દોસ્ત કરણે પોતાનું નિવેદન આપવા માટે દિલ્હી પહોંચ્યો છે. શ્રદ્ધાએ કરણને વર્ષ 2020માં આફતાબ સાથે થયેલા ઝઘડા વિશે વાત કરી હતી. કરણ દ્વારા જ શ્રદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કરણને સાક્ષી બનાવી રહી છે. શ્રદ્ધા મુંબઈમાં જ્યાં કામ કરતી હતી ત્યાં કરણ તેનો મેનેજર હતો અને સાથે દોસ્ત પણ હતો.
Shraddha Murder: ફ્લેટના બાથરુમની ટાઈલ્સોમાંથી મળ્યા હત્યાના ખાસ પુરાવા, હવે આફતાબ ભરાયો
શ્રદ્ધાને હત્યાની શંકા હતી
એક સામે આવેલા રિપોર્ટ મુજબ, શ્રદ્ધાએ વર્ષ 2020માં જ એવી શંકા વ્યક્ત કરી હતી કે આફતાબ તેની હત્યા કરી નાખશે. આફતાબે શ્રદ્ધાને માર માર્યો હતો. જે બાદ શ્રદ્ધાએ 23 નવેમ્બર 2020ના રોજ પોલીસ ફરિયાદ કરી હતી. શ્રદ્ધાએ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં દાવો કર્યો હતો કે, આફતાબે તેને મારવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપતા કહ્યું કે, તારા ટૂકડા ટૂકડા કરી નાખીશ અને ફેંકી દઈશ.
Shraddha Murder: 'આફતાબ મુઝે મારકર ટુકડે-ટુકડે કર દેગા', શ્રદ્ધાએ 2020માં જ વ્યક્ત કરી હતી શંકા
બાથરુમની ટાઈલ્સોમાંથી મળ્યા પુરાવા
દિલ્હી પોલીસને આફતાબના ફ્લેટના બાથરુમની ટાઈલ્સો તોડી છે. જેમાંથી પોલીસને ચોંકાવનારા પુરાવા હાથમાં લાગ્યા છે. સીએફએસએલની ટીમને ટાઈલ્સોમાંથી લોહીના ડાઘા મળ્યા છે. ટાઈલ્સોને સીએફએસએલની લેબમાં ડીએનએ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલાં એફએસએલને રસોડામાંથી કેટલાંક લોહીના ડાઘા મળ્યા હતા. ત્યારે ટાઈલ્સોમાં જે લોહીના નિશાન મળ્યા છે તેને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ લગભગ બે અઠવાડિયામાં આવશે. આફતાબના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે પોલીસ પણ સતત ડૉક્ટરોના સંપર્કમાં છે.
Read Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story