એપશહેર

Shraddha Murder: તિહાડ જેલમાં બંધ આફતાબ પર કેમ 24 કલાક કેમેરાથી રાખવામાં આવી રહી છે વોચ?

શ્રદ્ધાની હત્યા કરીને લાશના 35 ટૂકડા કરનારો આરોપી આફતાબ પૂનાવાલા હાલ તિહાડની જેલમાં બંધ છે. જેલ નંબર ચારમાં તેને રાખવામાં આવ્યો છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, ચોવીસ કલાક કેમેરાથી તેના પર વોચ રાખવામાં આવી રહી છે. તેની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. બીજી તરફ, હત્યા બાદ આફતાબના ઘરે એક મહિલા આવી હતી. તેની પણ પોલીસે પૂછપરછ કરી છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 28 Nov 2022, 9:59 am

હાઈલાઈટ્સ:

  • શ્રદ્ધાની હત્યા કરીને લાશના ટૂકડા કરનારો આરોપી આફતાબ તિહડ જેલમાં બંધ
  • આફતાબ પર ચોવીસ કલાક કેમેરાથી રાખવામાં આવી રહી છે વોચ
  • ફ્લેટ પર આવેલી મહિલાની પણ પોલીસે કરી પૂછપરછ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat delhi shraddha murder
આફતાબને તિહાડની જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ તિહાડ જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાની હત્યા મામલે આરોપી આફતાબ પૂનાવાલા પર જેલના સેલમાં ચોવીસ કલાક કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે. આફતાબને તિહાડની જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. દિલ્હીની એક કોર્ટે આફતાબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આવ્યો છે. તો પોલીસે વધુ પુરાવા શોધવા માટે એક મહિલાની પૂછપરછ કરી છે, જે હત્યા બાદ આફતાબના ઘરે આવી હતી.
બંને વચ્ચે થયો હતો ઝઘડો
શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારું વિવરણ સામે આવ્યું છે. આફતાબ પૂનાવાલાએ કથિત રીતે પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. એ પછી તેની લશના ટૂકડા ટૂકડા કરીને તેને સગેવગે કર્યા હતા. આ લાશના ટૂકડાઓને તેણે પોતાના રુમમાં 300 લીટરવાળા ફ્રિજમાં રાખ્યા હતા. જે બાદ તેને ફેંકી દીધા હતા. મહારાષ્ટ્રમાંથી આ લિવ ઈન કપલ તાજેતરમાં જ દિલ્હી શિફ્ટ થયુ હતુ અને એક ભાડાના ફ્લેટમાં રહેતુ હતું. જ્યાં ખર્ચાને લઈ તેમનો ઝઘડો થયો હતો.
Shraddha Murder: આફતાબને તિહાડ જેલમાં કેમ હરવા ફરવાની મંજૂરી નહીં? સતાવી રહ્યો છે એક ડર
બે વર્ષથી આફતાબ-શ્રદ્ધાના સંબંધ સારા નહોતા
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, છેલ્લા બે વર્ષોથી તેમના સંબંધમાં તિરાડ પડી હતી. જેલમાં મોકલવાના આદેશ બાદ આફતાબનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આફતાબને જે સેલમાં રાખવામાં આવ્યો છે ત્યાં તે એકલો નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. 12 નવેમ્બરના રોજ આફતાબની ધરપકડ થઈ હતી. પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. બાદમાં વધુ પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. મંગળવારે તેને ચાર દિવાસના પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

એ મહિલા ઘરે આવી ત્યારે ટૂકડા ફ્રિજમાં હતા
આ દરમિયાન પોલીસે એક મહિલાની પણ પૂછપરછ કરી છે કે જે હત્યા બાદ આફતાબના ફ્લેટ પર આવી હતી. પોલીસે કહ્યું કે, તે એક ડેટિંગ એપ દ્વારા મહિલા મનોવૈજ્ઞાનિકના સંપર્કમાં આવ્યો હતો. પછી આફતાબે આ મહિલાને પોતાના ઘરે બોલાવી હતી. તપાસ કરતા સૂત્રોનું માનીએ તો, જ્યારે આ મહિલા આફતાબના ઘરે આવી ત્યારે શ્રદ્ધાની શરીરના ટૂકડા એ સમયે ફ્રિજમાં જ હતા.
Shraddha Murder: તિહાડ જેલમાં કેદી નંબર 11529 હશે આફતાબનું નવુ નામ, કેમ વોર્ડમાંથી બહાર ન નીકળવાનું કહેવાયું?
હજુ સુધી કરવત મળી નથી
શુક્રવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થયો. હવે તેનો નાર્કો ટેસ્ટ ટૂંક સમયમાં થશે. પોલીસે તેના ફ્લેટમાંથી પાંચ ચાકુ પણ કબજે કર્યા છે. આ ચાકુઓને ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એ જાણવા માટે કે આફતાબે હત્યા માટે આનો ઉપયોગ કર્યો હતો કે નહીં. પોલીસે અગાઉ પણ કહ્યું હતું કે, લાશને કાપવા માટે ઉપયોગમાં લેવાયેલી કરવત હજુ સુધી કબજે થઈ શકી નથી. બીજી તરફ, જંગલમાંથી મળેલા શરીરના અંગ ખરેખરમાં શ્રદ્ધાના છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે ડીએનએ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
Read Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story