એપશહેર

Sharddha Murder: 5-6 ઈંચ લાંબા પાંચ ચાકુઓથી આફતાબે શ્રદ્ધાની લાશના કર્યા હતા ટૂકડા, ચોંકવનારો ખુલાસો

શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા કરવા માટે આફતાબે પાંચ ચાકુઓનો ઉપયોગ કર્યો હતો. તેણે પાંચ-છ ઈંચ લાબા પાંચ ચાકુઓથી લાશના ટૂકડા કર્યા હતા. એ પછી રોજ રાત્રે 18 દિવસ સુધી તે દિલ્હીની વિવિધ જગ્યાએ ટૂકડા ફેંકવા માટે જતો હતો. લગભગ ત્રણ અઠવાડિયા સુધી લાશના ટૂકડા તેણ ઘરમાં રહેલા ફ્રિજમાં રાખ્યા હતા.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 25 Nov 2022, 1:13 pm

હાઈલાઈટ્સ:

  • શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે લાશના કર્યા હતા 35 ટૂકડા
  • ટૂકડા કરવા માટે તેણે પાંચ ચાકુઓનો ઉપયોગ કર્યો હતો
  • પાંચ-છ ઈંચ લાંબા પાંચ ચાકુઓથી કર્યા હતા ટૂકડા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat delhi shraddha murder case
દિલ્હી પોલીસે ગુરુવારે દાવો કર્યો કે, આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશને કાપવા માટે પાંચ ચાકૂઓનો ઉપયોગ કર્યો હતો.
નવી દિલ્હીઃ શ્રદ્ધા વૉકરની હત્યા કેસમાં દિલ્હી પોલીસે ગુરુવારે દાવો કર્યો કે, આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશને કાપવા માટે પાંચ ચાકુઓનો ઉપયોગ કર્યો હતો. જેને પોલીસે કબજે કર્યા છે. જો કે, એક કરવત હજુ સુધી પણ મળી શકી નથી. મહત્વનું છે કે, શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેની લાશના 35 ટૂકડા કર્યા હતા. જે બાદ તમામ ટૂકડાઓને સગેવગે કરવા માટે 18 દિવસ સુધી તે રોજ રાત્રે નીકળતો હતો અને ફેંકી દેતો હતો. તપાસમાં પણ આફતાબ પોલીસને ગોળ ગોળ ફેરવતો હોવાથી નાર્કો ટેસ્ટની મંજૂરી માગવામાં આવી હતી.
પાંચ-છ ઈંચ લાંબા ચાકૂઓ કબજે કર્યા
શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે, પોલીસે પાંચ-છ ઈંચ લાંબા પાંચ ચાકુઓ કબજે કર્યા છે. આ ચાકૂઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. આફતાબ પૂનાવાલા પર આરોપ છે કે પહેલાં તેણે પોતાની લિવ ઈન પાર્ટનરનું ગળુ દબાવીને હત્યા કરી. એ પછી શ્રદ્ધાની લાશના 35 ટૂકડા કર્યા હતા. લાશના ટૂકડાઓ લગભગ 3 અઠવાડિયા સુધી એક ફ્રિજમાં રાખ્યા હતા. આ લાશના ટૂકડાઓને તે દિલ્હી એનસીઆરના વિવિધ વિસ્તારમાં રાત્રે ફેંકવા માટે જતો હતો. લગભગ છ મહિના બાદ આ હત્યાકાંડનો ખુલાસો થયો છે.
આફતાબે શ્રદ્ધાની લાશના ટૂકડાં કોઈને મળે નહીં તે માટે જબરજસ્ત ચાલાકી વાપરી, પોલીસ ગોથે ચડી!
અમિત શાહે કરી ટિપ્પણી
આ મામલે પહેલીવાર ટિપ્પણી કરતા ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે દોષિતોને ઝડપથી કડક સજા આપવાનું આશ્વાસન આપ્યું. તો માકપાએ આરોપ લગાવ્યા કે આ ઘટનાનો ઉપયોગ સાંપ્રદાયિક પ્રોપેગન્ડા માટે કરવામાં આવી રહ્યો છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ગુરુવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે દિલ્હીની એક ફોરેન્સિક લેબમાં લઈ જવામાં આવ્યો હતો. એનો ટેસ્ટ લગભગ 8 કલાક સુધી ચાલ્યો હતો.

કેમ શ્રદ્ધાની હત્યા કરી?
સૂત્રોનું માનીએ તો, ટેસ્ટ દરમિયાન આફતાબને પૂછવામાં આવ્યું હતું કે, એવું તો શું કારણ હતું કે તેણે શ્રદ્ધાની હત્યા કરી નાખી. શું તેણે કાવતરુ ઘડીને હત્યા કરી હતી કે પછી ગુસ્સામાં કરી હતી. તેણે કોર્ટમાં દાવો કર્યો હતો કે ગુસ્સામાં કર્યુ હતુ. આફતાબ પાસે હત્યાનો ક્રમ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેઓ બંને કેવી રીતે રિલેશનમાં આવ્યા અને કેવી રીતે શ્રદ્ધાની લાશને ઠેકાણે પાડવાનો પ્લાન બનાવ્યો.
Aftab Polygraph Test: ગુરુવારે થયેલા પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબે શું સાચુ અને ખોટુ કહ્યું? આજે ફરીથી થઈ શકે છે કસોટી
પોલીસને તપાસમાં મળશે મદદ
સૂત્રોનું એવું પણ કહેવું છે કે, હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા એ હથિયારો વિશે પણ તેને પૂછવામાં આવ્યું હતું. જેનાથી તેણે લાશના ટૂકડા કર્યા હતા. આ સિવાય આ મામલે સંકળાયેલા અનેય પણ સવાલો કરવામાં આવ્યા હતા અને એ જવાબ પોલીસને તપાસમાં આગળ મદદ કરી શકે છે.
Read Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story